Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં BRTS બસની અડફેટે રાહદારીનુ મોત નિપજતા લોકો વિફર્યા

Webdunia
બુધવાર, 13 નવેમ્બર 2019 (13:08 IST)
સુરતમાં પુણા APMC માર્કેટ નજીક BRTS બસની અડફેટે યુવકના મોત બાદ લોકો રોષે ભરાયા હતા. બસમાં તોડફોડ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. જોકે, પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી આવતા મામલો થાળે પડ્યો હતો. જયારે ઇજાગ્રસ્ત બીજા યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીઆરટીએસની બસ GJ 5 BZ 4201 સહરા દરવાજા તરફ આવી રહી હતી બીપી તે વખતે એપીએમસી માર્કેટની નજીક બીઆરટીએસ લેનમાંથી રાહદારીઓ રોડ ક્રોસ કરવા જતા અકસ્માત સર્જાયો હતો. બીઆરટીએસમાં અકસ્માતની સંખ્યા ઓ ઉપરાછાપરી વધી રહી છે. એકતરફ બસના ડ્રાઇવરોની સામે પણ આંગળી ચિંધાઈ રહી છે. જોકે, બીજી તરફ બીઆરટીએસની લેનમાંથી રોડ ક્રોસ કરનારા અને બીઆરટીએસની લેનમાં અવરજવર કરનારા લોકોની સંખ્યા પણ એટલી જ વધી રહી છે. આવા અકસ્માતોની સંખ્યા પાછળ આ બંને પરિસ્થિતિઓ કારણભૂત બનીને બહાર આવી રહી છે, તેવું મહાનગરપાલિકાના વર્તુળનો પણ અનુમાન છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments