Webdunia - Bharat's app for daily news and videos

Install App

BRTSમાં હવેથી જૂનાં જનમિત્રકાર્ડ નહીં ચાલે, નવાં આપવાની વ્યવસ્થા ઊભી કરાઇ

Webdunia
શનિવાર, 18 ઑગસ્ટ 2018 (13:20 IST)
બીઆરટીએસ સેવાનો ઉપયોગ કરનારા ઉતારુઓ પૈકી અંદાજે ૨૫ થી ૩૦ હજાર ઉતારુઓ જનમિત્રકાર્ડ ધરાવે છે, જે પૈકી નિયમિત રીતે બીઆરટીએસ કાર્ડને ઉપયોગમાં લેનારા તો માત્ર નવ હજાર ઉતારુ છે, પરંતુ લાંબા સમયથી ઉતારુઓ દ્વારા જૂનાં જનમિત્રકાર્ડનો વપરાશ થઇ રહ્યો હોઇ આજથી તંત્ર દ્વારા જૂનાં જનમિત્રકાર્ડને બંધ કરાયાં છે. આમ તો તંત્ર દ્વારા બીઆરટીએસના ઉતારુઓ માટે નવાં જનમિત્રકાર્ડનું લોન્ચિંગ કરાયું છે. તેમ છતાં અનેક ઉતારુઓએ પોતાનાં જૂનાં જનમિત્રકાર્ડનો વપરાશ ચાલુ રાખ્યો છે,

જેના કારણે સત્તાવાળાઓ દ્વારા આવા ઉતારુઓને જૂનાં જનમિત્રકાર્ડના બદલે નવાં જનમિત્રકાર્ડ કઢાવી લેવાની વારંવાર અપીલ કરાતી હતી. તેમ છતાં જૂનાં જનમિત્રકાર્ડનો વપરાશ અટક્યો ન હતો એટલે આજથી જૂનાં જનમિત્રકાર્ડને બંધ કરી દેવાયાં છે તેમજ જૂનાં જનમિત્રકાર્ડનો ઉપયોગ આજથી દંડનીય અપરાધ ગણાશે. દરમિયાન સત્તાધીશો દ્વારા ઉસ્માનપુરાની પશ્ચિમ ઝોનની કચેરીએ આવેલા બીઆરટીએસના કંટ્રોલરૂમ ખાતે ઓફિસ અવર્સ દરમિયાન આગામી તા. ૨૪ ઓગસ્ટ સુધી જૂનાં જનમિત્રકાર્ડને મફતમાં બદલીને નવાં જનમિત્રકાર્ડ કઢાવી આપવાની વ્યવસ્થા ઊભી કરાઇ છે, જેમાં જૂનાં જનમિત્રકાર્ડનું બેલેન્સ પણ નવાં જનમિત્રકાર્ડમાં ટ્રાન્સફર કરી અપાશે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments