Webdunia - Bharat's app for daily news and videos

Install App

નબળું પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે

Board Exam
Webdunia
બુધવાર, 18 માર્ચ 2020 (12:56 IST)
ધો. 5 અને 8માં બે વિષયમાં ‘ઇ’ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે એવો પરિપત્ર શિક્ષણ વિભાગે દરેક સ્કૂલોને મોકલી આપ્યો છે. પરિણામ જાહેર થયા બાદ બે મહિનામાં 35 ટકાથી ઓછા ગુણ લાવનારા વિદ્યાર્થીની નબળી બાબતોને ફરી શીખવાડીને ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ પણ જો વિદ્યાર્થીઓ નબળું પ્રદર્શન કરશે તો તેમને ફરીથી નાપાસ કરવામાં આવશે. જીસીઇઆરટી અને પ્રાથમિક શિક્ષણ નિયામકે કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકારી અધિનિયમ 2009ના નિયમની કલમ 24માં ફેરફાર કરાયો છે. જેમાં ધો.5 અને 8માં એ, બી, સી, ડી ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીને આગળના ધોરણમાં પ્રમોશન આપવાનું રહેશે. જ્યારે માત્ર ધો.5 અને 8માં જ બે વિષયમાં ઇ ગ્રેડ એટલે કે બે વિષયમાં 35 કરતાં ઓછા ગુણ લાવનારા વિદ્યાર્થીને નાપાસ કરી શકાશે. આ નિયમ દરેક સરકારી અને ખાનગી સ્કૂલોમાં લાગુ કરાશે. પરિપત્રમાં સ્કૂલોના સ્પષ્ટ જણાવાયું છે કે, પ્રાથમિક સ્કૂલોમાં ધો.5 અને 8 સિવાય અન્ય કોઇપણ ધોરણમાં વિદ્યાર્થીને નાપાસ કરી શકાશે નહીં. આ નિયમ વર્ષ 2019-20થી લાગુ કરાયો છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

Child Story - મદદ કરવી હોય તો કરો, ખાલી સલાહ ન આપો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - લાઈટ જાય છે

ગુજરાતી જોક્સ - બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે

Kesari 2 X Review: 'બંધ મુઠ્ઠી એક કડા', ગુસ્સાથી લાલ કરી દેશે અક્ષય કુમારની ફિલ્મ

World Heritage Day- મોઢેરાનું સૂર્યમંદિર, વડનગર, ઉનાકોટી રોક-કટ મૂર્તિઓને મળ્યુ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

ગુજરાતી જોક્સ - લગ્ન પછી પહેલીવાર વહુ

આગળનો લેખ
Show comments