Webdunia - Bharat's app for daily news and videos

Install App

નબળું પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે

Webdunia
બુધવાર, 18 માર્ચ 2020 (12:56 IST)
ધો. 5 અને 8માં બે વિષયમાં ‘ઇ’ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાશે એવો પરિપત્ર શિક્ષણ વિભાગે દરેક સ્કૂલોને મોકલી આપ્યો છે. પરિણામ જાહેર થયા બાદ બે મહિનામાં 35 ટકાથી ઓછા ગુણ લાવનારા વિદ્યાર્થીની નબળી બાબતોને ફરી શીખવાડીને ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ પણ જો વિદ્યાર્થીઓ નબળું પ્રદર્શન કરશે તો તેમને ફરીથી નાપાસ કરવામાં આવશે. જીસીઇઆરટી અને પ્રાથમિક શિક્ષણ નિયામકે કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકારી અધિનિયમ 2009ના નિયમની કલમ 24માં ફેરફાર કરાયો છે. જેમાં ધો.5 અને 8માં એ, બી, સી, ડી ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીને આગળના ધોરણમાં પ્રમોશન આપવાનું રહેશે. જ્યારે માત્ર ધો.5 અને 8માં જ બે વિષયમાં ઇ ગ્રેડ એટલે કે બે વિષયમાં 35 કરતાં ઓછા ગુણ લાવનારા વિદ્યાર્થીને નાપાસ કરી શકાશે. આ નિયમ દરેક સરકારી અને ખાનગી સ્કૂલોમાં લાગુ કરાશે. પરિપત્રમાં સ્કૂલોના સ્પષ્ટ જણાવાયું છે કે, પ્રાથમિક સ્કૂલોમાં ધો.5 અને 8 સિવાય અન્ય કોઇપણ ધોરણમાં વિદ્યાર્થીને નાપાસ કરી શકાશે નહીં. આ નિયમ વર્ષ 2019-20થી લાગુ કરાયો છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Video- Reel ના કારણે યુવકનો જીવ ગયો સ્લો મોશનમાં વીડિયો બનાવતો હતો

તુર્કીમાં આતંકવાદી હુમલાને લઈને મોટું અપડેટ, અત્યાર સુધીમાં 5ના મોત; 22 લોકો ઘાયલ

હરણી બોટકાંડ પછી શૈક્ષણિક પ્રવાસોને લઈને કડક નિયમો લાગૂ, સરકારની મંજૂરી વગર બહાર જવા પર પ્રતિબંધ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

આગળનો લેખ
Show comments