Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ કહ્યું, દાણીલીમડાની અફવા છે હું ઈડરથી જ દાવેદારી કરવાનો છું

Webdunia
શુક્રવાર, 28 ઑક્ટોબર 2022 (09:41 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસોજ બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નિરીક્ષકો દ્વારા 29 ઑક્ટોબર સુધી વિધાનસભા વાઇઝ પ્રવાસ કરવામાં આવશે અને દાવેદારોને મળશે. આ દરમિયાન ઇડર વિધાનસભાના ધારાસભ્ય હિતુ કનોડિયા દાણીલીમડા બેઠક પરથી ચૂંટણી લડે તેવા સમાચાર વહેતા થયા હતા.

આ અંગે તેમણે સ્પષ્ટતા કરી છે અને કહ્યું કે કઈ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે આજે હિતુ કનોડિયા પોતાની ઇડર બેઠકના બદલે તે દાણીલીમડા બેઠક પર ચૂંટણી લડવા જશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આ બાબતે વોટ્સએપ ગ્રુપમાં તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, દાણીલીમડા કે બીજી કોઈ પણ બેઠક માટે દાવેદારી કરી નથી હું આવતી કાલે 28- ઇડર વિધાનસભા માટે દાવેદારી કરવાનો છું.29 ઓક્ટોબર સુધી રાજ્યના તમામ જીલ્લાઓમાં નિરીક્ષકો પ્રવાસ કરશે. આ નિરીક્ષકોની ટીમ દરેક જીલ્લાઓમાં વસતા પ્રદેશના પદાધિકારીઓ તેમજ જીલ્લાના પદાધિકારીઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિધાનસભા ક્ષેત્રના તેમજ મંડલ સ્તરે સંગઠનનું કામ કરતાં કાર્યકર્તાઓ તથા ઉમેદવારી કરવાની ઈચ્છા ધરાવતા તમામ કાર્યકર્તાઓને મળશે અને તેમને સાંભળશે. ઉમેદવાર નક્કી કરવા ભાજપ 3-3 નિરીક્ષકોની પ્રત્યેક વિધાનસભા બેઠકમાં નિમણૂંક કરવામાં આવી છે. 3 દિવસ સુધી નિરીક્ષકો ગ્રાઉન્ડમાં રહી ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પ્રત્યેક વિધાનસભાના નામો પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

આગળનો લેખ
Show comments