Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટના ગુંદામાં પરિવારના માતાજીના માંડવામાં ભાજપના મંત્રી અરવિંદ રૈયાણી ધૂણ્યા

Webdunia
રાજકોટ તાલુકામાં રાજ્યમંત્રીનું ગામ ગુંદા છે ત્યાં રૈયાણી પરિવારે માતાજીનો માંડવો યોજ્યો હતો. ખાસિયત એ છે કે અરવિંદ રૈયાણી વર્ષોથી રાખડીબંધ ભૂવા તરીકે ઓળખાય છે અને આમંત્રણ પત્રિકામાં પણ મંત્રીને બદલે રાખડીબંધ ભૂવા અરવિંદ રૈયાણી તરીકે લખાયું છે. માંડવો શરૂ થયો એટલે થોડી જ વારમાં મંત્રી રૈયાણીએ ધૂણવાનું ચાલુ કર્યું હતું અને સાંકળ લઈને પોતાના પર કોરડા ફટકાર્યા હતા.

અરવિંદ રૈયાણી પરિવારના રાખડીબંધ ભૂવા તરીકે ઓળખાય છે અને તેઓ જ્યારે માતાજીના માંડવામાં ધૂણવા લાગ્યા ત્યારે પરિવારજનોએ તેમના પર રૂપિયાનો વરસાદ પણ કર્યો હતો. અરવિંદ રૈયાણીએ પોતાના માથા પર માતાજીની ચૂંદડી પણ ઓઢી ધૂણતા નજરે પડ્યા હતા. આ સમયે પરિવારજનો તેઓને પગે લાગીને આર્શીવાદ મેળવતા હતા. શ્રદ્ધા ગણો કે અંધશ્રદ્ધા પણ અરવિંદ રૈયાણી વર્ષોથી ભૂવા તરીકે ઓળખાય છે અને માંડવો હોય ત્યારે ધૂણે જ છે.અરવિંદ રૈયાણી પરિવારના માતાજીના માંડવામાં ધૂણતા હોય તેવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં પરિવારજનોએ રૂપિયાનો વરસાદ કરતા સ્ટેજ પણ નોટોથી ઉભરાય ગયું હતું. માતાજીના આ માંડવામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જેવલીન થ્રો માં નવદીપનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાયો, ઈરાનનો પેરા એથ્લેટને કર્યો ડીસક્વોલીફાય

સ્વચ્છ વાયુ એ SMCને અપાવી 1.5 કરોડની ઈનામી રાશિ, વાયુને સ્વચ્છ રાખવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, એકનું મોત, 13 લોકો હોસ્પિટલમાં દાખલ

કયો એવો વર્ડ છે જેને લખાય તો છે પણ વાંચવામાં નથી આવતો ? યુવતીએ પૂછ્યો આ ટ્રિકી સવાલ

Hathras Accident: પાચ ભાઈઓમાથી ત્રણ ભાઈની ફેમિલી ખતમ, આટલી લાશો... કબર ખોદાવવા માટે મંગાવવુ પડ્યુ બુલડોજર

આગળનો લેખ
Show comments