Webdunia - Bharat's app for daily news and videos

Install App

CCTV હશે તેવી શાળાઓમાં જ બિન સચિવાલની પુન: પરીક્ષા લેવાશે: નીતિન પટેલ

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા
Webdunia
શનિવાર, 7 માર્ચ 2020 (13:32 IST)
હાલ ચાલી રહેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા પછી વેકેશનમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં કરી છે. તે સાથે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, એલઆરડીની ભરતી પ્રક્રિયામાં પણ કેટલાક વિરોધીઓ અને રાજકીય પક્ષો દ્વારા ગુજરાતની શાંતિ હણવા અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તે સફળ રહ્યો ન હતો.

વિધાનસભામાં પૂરક વિનિયોગ વિધેયક રજૂ કરતા ડે. સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોને રોજગારી આપવા માટે વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને ભરતી પ્રક્રિયા કરાય છે. બિન સચિવાલય પરીક્ષાની ભરતીમાં વિદ્યાર્થીઓને નુકસાન ન થાય એ માટે પેપર લીકની ઘટના બનતાં સરકારે તાત્કાલિક પરીક્ષા મુલતવી રાખીને સીટ દ્વારા તપાસના આદેશ આપી ષડયંત્ર પકડી પાડયું હતું. હવે પારદર્શિતાથી બોર્ડની પરીક્ષા બાદ વેકેશનમાં તે પરીક્ષા યોજાશે. સીસી ટીવી કેમેરા હોય તેવી શાળામાં પરીક્ષા લેવાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments