Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિનસચિવાલય પરીક્ષા આંદોલન : મંગળવારથી વિદ્યાર્થીઓના આમરણાંત ઉપવાસ

Webdunia
સોમવાર, 9 ડિસેમ્બર 2019 (12:13 IST)
આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર મળી રહ્યું છે. આ દરમિયાન બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાનો મામલો ખૂબ ગરમાશે. વિપક્ષ આ સત્ર દરમિયાન ભાજપને ઘેરવાનો પૂરતો પ્રયાસ કરશે. બીજી તરફ પરીક્ષા રદ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓ હજુ પણ ગાંધીનગરના રસ્તાઓ પર આંદોલન કરી રહ્યા છે. વિસ્ટા ગાર્ડન ખાતે વિદ્યાર્થીઓ રસ્તા પર બેસી રહ્યા છે. આ ઉપરાંત અહીં ગાર્ડનની વૉલ પર વિદ્યાર્થીઓએ વિવિધ સ્લોગનો લખીને પોતાનો વિરોધ પ્રગટ કર્યો છે. આ દરમિયાન વિદ્યાર્થીઓએ આમરણાંત ઉપવાસ પર બેસી જવાની ચીમકી ઉચ્ચારી છે.વિદ્યાર્થીઓએ 'અમે આતંકવાદી નથી', 'નવ નિર્માણ આંદોલન-2019', 'પરીક્ષા રદ ન થાય તો બીજેપીને વોટ નહીં', 'I Will Win not Immediately but Definitely' જેવા સ્લોગનો લખ્યા છે.'જ્યાં સુધી સરકાર પરીક્ષા રદ કરવાની જાહેરાત નહીં કરે ત્યાં સુધી અમે સ્થળ પરથી હટીશું નહીં. જો સરકાર પરીક્ષા રદ નહીં કરે તો મંગળવારથી વિદ્યાર્થીઓ,સામાજિક કાર્યકરો અને ખેડૂત આગેવાનો આમરણાંત ઉપવાસ કરશે.'વિદ્યાર્થીઓનું આંદોલન કૉંગ્રેસ પ્રેરિત હોવાના આક્ષેપ પર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, "અમે તમામ પક્ષના લોકોને આવકારીએ છીએ. વિધાનસભાના ત્રણ દિવસના સત્ર દરમિયાન ભાજપના ધારાસભ્યો પણ અમને મળવા આવી શકે છે. જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં."
 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments