Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંઘીનગરમાં મોટી દુર્ઘટના, મેશ્વા નદીમાં ડૂબવાથી 8 લોકોના મોત

Webdunia
શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2024 (23:25 IST)
8 people died due to drowning in Meshwa river
ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં શુક્રવારે સાંજે મેશ્વો નદીમાં ન્હાતી વખતે આઠ લોકો ડૂબી ગયા હતા. આ કેસમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) બીબી મોડિયાએ જણાવ્યું હતું કે ડૂબી જવાથી મૃત્યુ પામેલા લોકો દહેગામ તાલુકાના વાસણા સોગતી ગામના રહેવાસી હતા.

 
દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં આજે ગણેશવિસર્જન સમયે જ 8 લોકો ડૂબતાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી. શરૂઆતમાં 5 યુવકના મૃતદેહ મળ્યા. બાદમાં થોડીવાર પછી અન્ય ત્રણ યુવકના પણ મૃતદેહ મળી આવ્યા હતા.
 
 ગણપતિ વિસર્જન માટે આવેલા લોકોએ આપી માહિતી  
શોધ અને બચાવ કામગીરીની દેખરેખ રાખનાર મોડિયાએ જણાવ્યું હતું કે ગામલોકોનું એક જૂથ ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા નદીની નજીક આવ્યું હતું. તે લોકોને ડૂબવાની ઘટનાની જાણ થઈ અને અધિકારીઓને તેની જાણ કરી.
 
અકસ્માતમાં રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયું
એસડીએમએ જણાવ્યું કે, મેસેજ મળ્યા બાદ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અમે નદીમાંથી આઠ મૃતદેહો બહાર કાઢ્યા છે. એક વ્યક્તિ, જે ગુમ હોવાનું માનવામાં આવતું હતું, તે ગામમાંથી મળી આવ્યો. તેથી, બચાવ કામગીરી હવે બંધ કરી દેવામાં આવી છે. મૃતકો સ્થાનિક લોકો હતા જેઓ નદીમાં નહાવા આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. થોડે દૂર એક ચેકડેમ નિર્માણાધીન હોવાથી નદીના જળસ્તરમાં તાજેતરમાં વધારો થયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments