Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધો.10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરી શકશે, જૂની માર્કશીટના આધારે પ્રવેશ મળશે

Webdunia
મંગળવાર, 25 એપ્રિલ 2023 (15:29 IST)
ધો.10ના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય- ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય તો બીજા વર્ષે વિદ્યાર્થીને નિયમિત વિદ્યાર્થી તરીકે જ સ્કૂલમાં જ પ્રવેશ આપવામાં આવશે. અગાઉ આ નિયમ હતો, પરંતુ 3 વર્ષ અગાઉ નિયમ રદ કરવામાં આવ્યો હતો. આ નિયમ શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ કરવામાં આવશે.

નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ જૂની માર્કશીટ સ્કૂલમાં જમા કરાવવાની રહેશે.ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય ત્યારે વિદ્યાર્થીઓને એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ફરીથી પરીક્ષા આપવી પડતી હતી. આ અંગે શાળા સંચાલક મંડળે અગાઉ શિક્ષણ વિભાગને રજુઆત કરી હતી કે, ધોરણ 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નિયમિત વિદ્યાર્થી તરીકે જ સ્કૂલમાં ફરીથી પ્રવેશ આપવામાં આવે. આ અંગે સંચાલકો આજે શિક્ષણ વિભાગ વચ્ચે બેઠક પણ થઈ હતી. આ બેઠકને હકારાત્મક અભિગમ મળ્યો છે.ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાત બોર્ડમાં જોગવાઈ હતી કે, ધોરણ 10માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને ફરીથી સ્કૂલમાં પ્રવેશ આપવો. પરંતુ 2021માં આ જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેથી અમે શિક્ષણ વિભાગને રજુઆત કરી હતી. જેના પરિણામ શિક્ષણ વિભાગ આગામી બોર્ડના જોગવાઈમાં ફેરફાર કરશે. આગામી જૂન મહિનાથી ધોરણ 10માં નાપાસ થનારને એડમીશન આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ જૂની માર્કશીટ જમા કરાવીને એડમિશન મેળવવાનું રહેશે.

સંબંધિત સમાચાર

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Fathers Day Quotes Gujarati 2024 - ફાધર્સ ડે પર તમારા પિતાને કરો આ સુદર મેસેજ

વજન ઘટાડવું હોય તો આ રીતે કરો ભીંડાનાં પાણીનું સેવન

ફાધર્સ ડે વિશેષ : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

Father's Day 2024 Gift Idea: - ફાધર્સ ડે પર તમારા પપ્પાને આપો આ Gift

Drashti Dhami: મા બનવાની છે TV ની મઘુબાલા, લગ્નના 9 વર્શ પછી થઈ પ્રેંગનેંટ, કહ્યુ છોકરો હોય કે છોકરી

આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું ઓડિયો વેડિંગ કાર્ડ થયું વાયરલ, મહેમાનને કરવામાં આવી ખાસ વિનંતી

Disha Patani Birthday: પાયલોટ બનવાનુ હતુ સપનુ અને બની ગઈ અભિનેત્રી, 3 વાર પ્રેમમાં ખાઈ ચુકી છે દગો

સોનાક્ષીના ઝહીર ઈકબાલ સાથે લગ્નથી ખુશ નથી પિતા શત્રુધ્ન સિન્હા, બોલ્યા આજકાલના બાળકો મંજુરી નથી લેતા

આગળનો લેખ
Show comments