Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત વિદ્યાપીઠમાં 16 વર્ષ બાદ મોટો ફેરફાર, હવે હોસ્ટેલમાં રહેવુ મરજિયાત, વિદ્યાર્થી ઘરે બેસીને પણ આપી શકશે પરીક્ષા

Webdunia
ગુરુવાર, 4 મે 2023 (11:33 IST)
ગાંધીજીના સમયથી ચાલતી ગુજરાત વિદ્યાપીઠમાં 16 વર્ષ બાદ ફરી એક મોટો ફરેફાર થવા જઈ રહ્યો છે. વિદ્યાપીઠના નિયમ મુજબ જે વિદ્યાર્થી કેમ્પસમાં ભણે છે તેમને કેમ્પસમાં જ રહેવાનું હોય છે. પરંતુ હવે આગામી શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને તેમાંથી મુક્તિ આપવામાં આવશે. હોસ્ટેલમાં રહેવા માટે ફરજીયાતમાંથી મરજિયાતનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સાદરા અને રાંધેજાથી જે વિદ્યાર્થીઓ ભણવા આવશે તેમના માટે પણ હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવશે. નવા વિદ્યાર્થીઓને રહેવા માટે નવો વિકલ્પ મળશે. નવી જમીન ઉપર વિદ્યાપીઠનું કેમ્પસ ઉભું કરવામાં આવશે.
 
વિદ્યાર્થીઓ માટે પણ એક મોટો નિર્ણય લેવાયો
ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા કેટલાક સમયમાં અનેક બદલાવ આવ્યા છે. ગુજરાત વિદ્યાપીઠમાં રહીને ભણતા વિદ્યાર્થીઓ માટે તથા આગામી સત્રમાં નવા એડમિશન લેનાર વિદ્યાર્થીઓ માટે પણ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓએ ભણવું હશે તો ફરજિયાત વિદ્યાપીઠના કેમ્પસમાં રહેવું નહીં પડે. વિદ્યાર્થીઓ ઈચ્છે તો જ વિદ્યાપીઠની હોસ્ટેલમાં રહીને ભણી શકશે અને વિદ્યાર્થીઓ પોતાના ઘરે કે અન્ય જગ્યાએ રહીને વિદ્યાપીઠમાં ભણવા ઈચ્છતા હોય તો તે ભણી શકશે.
 
2007માં વિદ્યાપીઠમાં ફરજિયાત જ રહેવાનો નિર્ણય
2007 અગાઉ વિદ્યાપીઠમાં સ્વૈચ્છિક રહેવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 2007માં સ્વૈચ્છિકનો નિર્ણય બદલીને વિદ્યાર્થીઓને ફરજિયાત વિદ્યાપીઠમાં જ રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો. ત્યારે હવે આગામી શૈક્ષણિક સત્ર 2023-24થી ફરીથી ફરજિયાતની જગ્યાએ સ્વૈચ્છિક રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments