Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના શિક્ષણમંત્રીએ આસારામની સંસ્થાને શુભેચ્છા સંદેશ આપતાં વિવાદ

Webdunia
બુધવાર, 30 જાન્યુઆરી 2019 (14:45 IST)
પોતાના આશ્રમમાં રહેતી સાધ્વીજી પર બળાત્કાર ગુજારનાર અને પોતાની જાતને સતત ‘આસારામ બાપુ’ કહેવડાવનાર ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પ્રેમ ઉભરાયો છે. દુષ્કર્મના કેસમાં હાલમાં રાજસ્થાનની જેલમાં સજા કાપી રહેલા આસારામનો આશ્રમ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલો છે એ જ આશ્રમ છે કે જ્યાં થોડા વર્ષો પહેલા આશ્રમના ગુરુકુળમાં ભણી રહેલા બે માસૂમ બાળકો દીપેશ અને અભિષેકના શંકાસ્પદ રીતે મૃત્યુ થયા હતા.સમાજમાં ધર્મના નામે અને તેની આડમાં પાખંડી કૃત્ય આચરનારા આસારામબાપુના આશ્રમને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના સત્તાવાર અને છાપેલા લેટરહેડ ઉપર ગુરુ વંદના નિમિત્તે શુભેચ્છા સંદેશો મોકલ્યો છે.

14મી ફેબ્રુઆરીએ માતૃ-પિતૃ દિવસ ની ઉજવણી થવાની છે આથી શિક્ષણ મંત્રી ચુડાસમાએ આસારામ આશ્રમને શુભેચ્છા સંદેશો પાઠવ્યો છે. જેમાં કહ્યું છે કે માતા-પિતા અને ગુરુની સેવા કરનારા આદરણીય બની જાય છે. શિક્ષણ મંત્રીના આવા સંદેશાની જાણ અન્ય મંત્રીઓને પણ થઈ ગઈ છે તેમજ ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ ખબર પડી ગઈ છે જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે.
જેમાં જણાવ્યું છે કે આસારામ બાપુ માટે શા માટે પ્રેમ ઉભરાયો છે તેની કોઈને ખબર પડતી નથી. સોશિયલ મીડિયા પર લોકો બળાપો ઠાલવતા લખાણ લખી રહ્યા છે જેમાં એક યુવાને ખૂબ જ આક્રોશ વ્યક્ત કરી લખ્યું છે કે એક બળાત્કારી અને ખૂન કેસ તથા ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની મિલકત વસાવનારા ઢોંગી આસારામ બાપુના આશ્રમ પર શુભેચ્છા સંદેશો મોકલી ને શિક્ષણ મંત્રી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments