Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાવનગરના ઘોઘા તાલુકામાં માઈનિંગ સામે ખેડૂતોનો વિરોધ: સ્કુલ લીવિંગ મેળવવા શાળાઓમાં વાલીઓની અરજી

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (13:28 IST)
સરકારે જમીનનો કબ્જો સંભાળતા અન્યાય થયો છે. તેથી બાળકોને ભણાવી શકાય તેમ નથી. તેવા કારણ સાથે ઘોઘા તાલુકાના ગામોના વાલીઓએ બાળકોના સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ કઢાવવા માટે અરજી કરી રહ્યા છે. આ પહેલા ગઇકાલે ઘોઘા તાલુકાના મલેકવદર ગામની સરકારી પ્રાથમિક શાળામાં આ અંગેની 30થી 40 જેટલી અરજી આવી હતી ત્યારે આજે ફરી તાલુકાના આલાપર ખડસલિયા, હોઇદડ સહિતના ગામોની શાળામાં આવી અરજી આવતા ખળભળાટ થઈ ગયો છે.

ભાવનગર-ઘોઘા તાલુકાના બાડી, હોઈદડ, મલેકવદર, પડવા, ખડસલિયા, થળસર, લાખણકા, થોરડી, રામપર, સુરકા અને આલાપર સહિત 11 ગામો જમીન બે દાયકા અગાઉ સંપાદિત કરવામાં આવી હતી. હવે કંપનીએ આ ગામોની જમીન પર માઈનિંગ કરવાનો નિર્ણય લેતા ખેડૂતો દ્વારા તેની સામે વિરોધ થયો હતો. આ વિરોધમાં ખેડૂતોએ અરજીમાં જણાવ્યું કે, તેમના સંતાન શાળામાં અભ્યાસ કરે છે. પરંતુ સરકાર દ્વારા તેમની જમીનનો બળજબરીથી કબ્જો લઈ લેવાયેલ હોઈ ખેડૂતોની સાથે થઈ રહેલ અન્યાય કોઈ સાંભળવા તૈયાર ન હોવાથી તેના વિરોધમાં તેઓ તેમના બાળકોને આગળ અભ્યાસ કરાવી શકે તેમ નથી. આથી તેમનું સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ કાઢી આપવામાં આવે. ખેડૂતોના આ વિરોધમાં ગઇકાલે મલેકવદર ગામની પ્રાથમિક શાળામાં અરજીઓ આવી હતી જ્યારે આજે તાલુકાના આલાપર ખડસલિયા, હોઇદડ સહિતના ગામોમાં પોતાના બાળકોને અભ્યાસ છોડાવી વિરોધ કરી રહ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

આગળનો લેખ
Show comments