Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં સોની વેપારીનું 70 તોલા સોનું લઇ બંગાળી મેનેજર ફરાર

Webdunia
બુધવાર, 28 જુલાઈ 2021 (10:25 IST)
રાજકોટ શહેરની સોનીબજારમાં વધુ એક વેપારીનું બંગાળી કારીગર લાખો રૂપિયાના કિંમતનું સોનું લઇ રફુચક્કર થઇ ગયાનો બનાવ પોલીસ સુધી પહોંચ્યો છે. જોકે, બનાવની પોલીસે ફરિયાદ લીધા વગર સીસીટીવી ફૂટેજ કબજે કરી ખાનગી રાહે તપાસ શરૂ કરી છે.

મૂળ પશ્ચિમ બંગાળના ફિરોઝભાઇ અલીહસન મલિક નામના વેપારીએ પોલીસમાં જણાવેલી વિગત મુજબ, તે છેલ્લા બાર વર્ષથી રાજકોટમાં રહીને રૈયા નાકા ટાવર પાસેની અનિલ ચેમ્બરમાં મલિક જ્વેલર્સના નામથી ઘરેણાં ઘડવાનું કામ કરે છે. તે સોનીબજારના વેપારીઓ પાસેથી ઘરેણાં લઇ હીરા ઝવેરાત લગાવવાનું કામ કરે છે. તેમને બહારનું કામકાજ રહેતું હોવાથી વતનમાં રહેતા સમનદાસ હરદાનદાસ નામના યુવાનને છ વર્ષ પૂર્વે નોકરીએ રાખ્યો હતો. સમનદાસે ટૂંકા જ સમયગાળામાં પોતાનો વિશ્વાસ કેળવી લીધો હોય તે મેનેજર તરીકે સવારે દુકાન ખોલવાથી લઇ સાંજે દુકાન બંધ કરવા સહિતનું તમામ કામ કરતો હતો. તેના પર પૂરો વિશ્વાસ હોય મંગળવારે સવારે પોતાના નિત્યક્રમ મુજબ દુકાને પહોંચ્યો હતો. પરંતુ દુકાન બંધ હોય પોતાની પાસે રહેલી ચાવીથી દુકાન ખોલી સમનદાસના મોબાઇલ પર સંપર્ક કર્યો હતો, પરંતુ તેનો મોબાઇલ બંધ આવ્યો હતો. તે દરમિયાન સોનીબજારના વેપારીઓએ હીરા જડવા માટે આપેલા 70 તોલા સોનાના ઘરેણાંની તપાસ કરી હતી. તપાસમાં લાખોની કિંમતના 70 તોલાના ઘરેણાં જોવા નહિ મળતા મોતિયા મરી ગયા હતા. બાદમાં દુકાનમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સમનદાસ 70 તોલા સોનાના ઘરેણાં થેલામાં ભરીને જતો જોવા મળ્યો હતો. જેથી તુરંત સમનદાસ જ્યાં રહેતો હતો ત્યાં જઇ તપાસ કરતા તે ત્યાં પણ નહિ મળતા સમનદાસ લાખોની કિંમતના સોનાના ઘરેણાં લઇ રફુચક્કર થઇ ગયાની શંકા દૃઢ બની હતી. દુકાનનો જ કર્મચારી કળા કરી જતા એ ડિવિઝન પોલીસમથક દોડી ગયા હતા અને લાખોની કિંમતના ઘરેણાંનો હાથફેરો કરી તેનો જ મેનેજર નાસી ગયાની વાત કરતા પીઆઇ સી.જી.જોષી સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને દુકાનના સીસીટીવી કબજે લઇ ખાનગી રાહે તપાસ શરૂ કરી છે. જોકે, બનાવની હજુ કોઇ ફરિયાદ પોલીસે નોંધી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Nepal Flood- નેપાળમાં પૂરના કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 112 લોકોના મોત,

MP Bus Accident- મધ્યપ્રદેશના મૈહરમાં અકસ્માત, 9 લોકોના મોત, ઘણા ઘાયલ

PM Modi Gift- પુણે મેટ્રો, સોલાપુર એરપોર્ટ અને ઈન્ડસ્ટ્રીયલ એરિયા, પીએમ મોદી આજે મહારાષ્ટ્રને 11,200 કરોડ રૂપિયાની ભેટ આપશે.

સસરા અને વહુના ગેરકાયદેસર સંબંધ, દરરોજ કરતો હતો... પછી સાસુને ખબર પડી

દ્વારકા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત, મૃત્યુ પામેલા 5 લોકો એક જ પરિવારના હતા.

આગળનો લેખ
Show comments