Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉમરગામ નજીક ફરી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, 3 મહિનામાં બીજીવાર સર્જાઇ ઘટના

Webdunia
શનિવાર, 30 એપ્રિલ 2022 (19:35 IST)
વલસાડ જિલ્લાના ઉમરગામ નજીક ફરી એકવાર અતુલ જેવી ઘટનાનું પુનરાવર્તન સર્જાયું છે. ફરી એકવાર વલસાડ જિલ્લામાં રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મુકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ નજીક ફરી એકવાર અસામાજિક તત્વો દ્રારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાંદ્રા વાપી ટ્રેનને આ અકસ્માત નડ્યો હતો. બાંદ્રા વાપી ટ્રેનને અડફેટે પથ્થર આવ્યો હતો. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. પરંતુ તેના લીધે ટ્રેનના એન્જીન કેટલ ગાર્ડને નુકસાન પહોંચ્યું હતું. 
 
ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારી તેમજ વલસાડ જિલ્લા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગળ તપાસ હાથ ધરી હતી. હાલમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ખાંગી રહી પોલીસ તપાસ ચાલી રહી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે વસાડ જિલ્લામાં 3 મહિનામાં બીજો બનાવ છે. ફેબ્રુઆરી મહિનામાં વલસાડ નજીક અતુલ પણ આજ પ્રકારની ઘટના સામે આવી હતી. વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે રેલવે એક ટિખળખોરે સિમેન્ટનો પોલ રેલવે-ટ્રેક પર મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. સાંજે ટ્રેન 7.10 વાગ્યે પસાર થતાં સિમેન્ટના પોલને છૂંદી કાઢ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments