Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના નવા નામકરણ અંગે સરકાર અને આદીવાસી સંગઠનો સામસામે

Webdunia
સોમવાર, 12 નવેમ્બર 2018 (13:05 IST)
બેસતાવર્ષના દિવસે જ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની જાહેરાત કરતાં હવે ગુજરાતમાં વિવાદ શરુ થયો છે. આદિવાસી સંગઠનોએ અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા સામે વિરોધ કર્યો છે.તેમનુ કહેવુ છેકે, અમદાવાદનું પ્રથમ નામ આશાવલ હતુ.
આદિવાસી રાજાનુ શાસન હતુ. ઇતિહાસ સાથે ચેડાં થવા જોઇએ નહીં. આદિવાસી સંગઠનોએ ચિમકી ઉચ્ચારી છેકે, જો ભાજપ સરકાર અમદાવાદનું નામ બદલી કર્ણાવતી રાખશે તો,ગુજરાતભરમાં આંદોલન કરવામાં આવશે.
આદિવાસી સંગઠનોએ એવો મત વ્યક્ત કર્યો છેકે, અમદાવાદ એટલે આશાવલના મૂળ શાસકો આદિવાલી ભીલ હતાં.ઇતિહાસકારો પાસે તેના પુરાવા છે. આદિવાસી આગેવાને રોમેલ સુતરિયા કહે છેકે, ઇતિહાસ સાથે ચેડાં કરી શકાય નહી. ભાજપ જો નામાકરણ કરે તો,અમદાવાદનું આશાવલ નામ થવુ જોઇએ. કર્ણાવતી નામ આદિવાસીઓ સ્વિકારશે જ નહીં.
ધારાસભ્ય છોટુ વસાવાએ કહ્યુ કે,ચૂંટણી આવતા ભાજપને હવે બધુ યાદ આવ્યુ છે.આ માત્ર ગંદી રાજનિતી સિવાય કઇં નથી.ભાજપના નેતાઓ યાદ રાખે કે, નામ બદલાનારાઓના જ ૨૦૧૯ની ચૂંટણીમાં નામ-ઓળખ બદલાઇ જવાની છે. નામ બદલવાથી ભાજપને કોઇ રાજકીય ફાયદો થવાનો નથી.જો અમદાવાદનુ નામ કર્ણાવતી રખાશે તો,ગુજરાતમાં આદિવાસીઓ આંદોલન કરશે.ભાજપ પાસે હવે મુદ્દાઓ જ રહ્યાં નથી જેથી આવા કરતૂતો શરુ કર્યાં છે.
આ મતોનુ રાજકારણ છે તેવો ઉલ્લેખ કરતાં વિધાનસભા કોંગ્રેસપક્ષના દંડક અશ્વિન કોટવાલે જણાવ્યું કે,ચૂંટણીઓ જીતવા આ રાજકીય ષડયત્ર છે. સાડા ચાર વર્ષની નિષ્ફળતા ઢાંકવા ભાજપે હિંદુઓની લાગણીઓ ઉશ્કેરવાનુ શરુ કર્યુ છે. અમદાવાદનું નામ આશાવલ રાખવા ગુજરાતના આદિવાસીઓ ધારાસભ્યો મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખી એવી રજૂઆત કરશે કે, કાં તો અમદાવાદ નામ યથાવત રાખો,કાં તો, આશાવલ નામ રાખો,કર્ણાવતી નામ તો હરગીઝ નહીં. આમ,અમદાવાદના નામાકરણના મુદ્દે અત્યારથી જ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે.
 
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments