Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહના ગામમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા: પરિવાર સાથે આપશે હાજરી ગૃહમંત્રી

Webdunia
બુધવાર, 20 ઑક્ટોબર 2021 (11:48 IST)
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૈતૃક ગામ માણસામાં આજે બહુચર માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેમાં અમિત શાહ પણ હાજર રહેશે. મંદિરમાં થનાર ઉત્સવ માટે અમિત શાહનો પરિવાર સોમવારે જ માણસા આવી ગયો છે. તો બીજી તરફ અમિત શાહ રાત્રે અમદાવાદ પહોંચી ગયા હતા. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ગામમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહેલી તૈયારીઓને અંતિમરૂપ આપવામાં આવી રહ્યું છે. 
 
તમને જણાવી દઇએ કે અમિત શાહ માણસના મૂળ નિવાસી છે અને તેમનું બાળપણ આ ગામમાં વિત્યું છે. કેંદ્રીય ગૃહમંત્રી બન્યા બાદ પણ તે મોટાભાગે પારિવારિક ક્રાર્યક્રમોમાં ભાગ લેવા આવતા રહે છે. આ ઉપરાંત તે પરિવાર સહિત નવરાત્રિમાં અહીં આવે છે. અમિત શાહનો પરિવાર અહીંના પ્રાચીન બહુચર માતા મંદિરમાં પૂજા અર્ચના કરે છે. હવે આ નાના મંદિરને ભવ્ય રૂપ આપવામાં આવી રહ્યું છે. બુધવારે બપોરે 12: 39 વાગે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, જેમાં અમિત શાહ પણ હાજર રહેશે. 
 
ઉત્સવની તૈયારી માટે અમિત શાહની પત્ની સોનલબેન અને પુત્ર જય શાહ પરિવારના અન્ય સભ્યો સાથે માણસા સ્થિત ઘરે પહોંચી ગયા છે. પરિવારના લોકો ગ્રામીણોની સાથે તૈયારીમાં લાગી ગયા છે. સોમવારે રાત્રે અહીં ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભોજનું આયોજન કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમિતાભ બચ્ચની પૌત્રી આરાધ્યાએ ફરી ખખડાવ્યો કોર્ટનો દરવાજો, જાણો શુ છે મામલો

Jaipur Trip Plan - જયપુર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - વકીલ- તેલી

ગુજરાતી જોક્સ - મારા પુત્રનો ચહેરો મારા પર છે

Viral Video - Live Concert વચ્ચે સોનૂ નિગમને અચાનક દુ:ખાવો ઉપડ્યો, તબિયત બગડતા ચીસો પાડવા માંડ્યા સિંગર, દર્દનાક દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા લોકો

વધુ જુઓ..

નવીનતમ

Valentine Week 2025- રોઝ ડે થી વેલેન્ટાઈન ડે સુધી: સંપૂર્ણ વેલેન્ટાઈન વીક 2025 શેડ્યૂલ

એકસરસાઈઝ પછી ભૂલથી પણ ન ખાવુ આ 5 વસ્તુઓ બધી મેહનત થઈ શકે છે ખરાબ

Rose Day 2025- રોઝ ડે પર તમારી ગર્લફ્રેન્ડને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી

માતા અન્નપૂર્ણા અને શંકરજીની વાર્તા

નર્મદા નદી વિશે માહિતી / Narmada river

આગળનો લેખ
Show comments