Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 દિવસ પહેલાં જ લાખો પદયાત્રીઓ અંબાજી પહોંચ્યા, શું સરકાર છુટ આપશે?

ambaji temple
Webdunia
રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (09:18 IST)
ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણ કાબૂમાં છે અને તેની સામે રસીકરણ પણ પૂરજોરમાં ચાલી રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર ભાદરવી પૂર્ણિમા તથા નવરાત્રિ જેવાં પ્રસંગોને લઇને કેટલીક છૂટછાટ જાહેર કરી શકે છે. એક જ મહિનામાં કુલ 200 સંઘ અંબાજી પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાદરવી પૂર્ણિમાએ યાત્રાધામ અંબાજીમાં પરંપરાગત રીતે યોજાતો મેળો આ વર્ષે મોકૂફ રાખવાને બદલે નિયંત્રણો સાથે યોજાઈ શકે છે. માત્ર પરંપરાગત રીતે વર્ષોથી આવતાં પગપાળા સંઘોમાં અમુક સંખ્યામાં લોકોને જ ભાદરવી પૂર્ણિમાએ ધજા ચઢાવવા અને દર્શન કરવાની મંજૂરી મળી શકે છે. અહીં બેકાબૂ ભીડ ન થાય તે માટે વિવિધ સંઘના પચીસેક લોકોને જ અગાઉથી કરેલી નોંધણી પ્રમાણે છૂટ આપવાનો વિચાર કરાઈ રહ્યો છે. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગરબા અને નવરાત્રિની પરંપરા જળવાય તે હેતુથી કોમર્શિયલ ગરબા આયોજનને બદલે શેરી ગરબાની મંજૂરી આપવા અંગે સરકારનું વલણ નરમ છે. જો કે આ સ્થળોએ ગરબા અમુક કલાકો પૂરતાં જ યોજી શકાશે અને ગરબામાં આયોજકો તથા ભાગ લેનારાં સૌએ માસ્ક, ડિસ્ટન્સિંગ તેમજ અન્ય ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસનો ઘરેલું ઉપાય - આજથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો, ડાયાબિટીસ થશે કંટ્રોલ

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

વધુ જુઓ..

નવીનતમ

Dhanush ની ફિલ્મના સેટ પર લાગી ભીષણ આગ, સળગતી આગનો વીડિયો વાયરલ

Urvashi Rautela Mandir: જે મંદિર પર ઉર્વશી રૌતેલા કરી રહી છે દાવો શુ છે તેનો ઈતિહાસ ?

બ્રાહ્મણ પર હું ...' વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ અનુરાગ કશ્યપ મુશ્કેલીમાં, હવે માંગી માફી, કહ્યું- 'દીકરી અને પરિવાર...'

ગુજરાતી જોક્સ - લાઈટ જાય છે

ગુજરાતી જોક્સ - બબલૂ- પાપા દારૂડિયા કોને કહે છે

આગળનો લેખ
Show comments