Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિજય રૂપાણીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી અને ડ્રાઈવર સલીમને ધન્યવાદ આપ્યાં

Webdunia
મંગળવાર, 11 જુલાઈ 2017 (14:23 IST)
અમરનાથ યાત્રાએ ગયેલા ભક્તજનોને ત્રાસવાદી હૂમલાનો ભોગ બનવું પડ્યું છે. ત્યારે તેમને હવે શ્રીનગરથી એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટ સી-132 દ્વારા સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. મૃતકોને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલી આપી હતી.

મૃતકોને શ્રધ્ધાંજલિ અને ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુરત એરપોર્ટ પર હાજર રહ્યા છે. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સાતના મૃતદેહ અને 19 જટેલા ઈજાગ્રસ્તો સાથે અરમનાથ યાત્રીઓને એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટથી સુરત લાવવામાં આવ્યા છે. આ મૃતકોના પરિવારજનોને 10 લાખની સહાયની જાહેરાત કરી છે. અને ઈજાગ્રસ્તનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અને બસના ડ્રાઈવર સલીમને યાત્રીઓને સલામત સ્થળે લઈ જવા બદલ ધન્યવાદ કહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલામાં માર્યા ગયેલા યાત્રિકોના પાર્થિવ દેહને સુરત હવાઈ મથકે શ્રદ્ધાંજલી આપી હતી. અને શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી..મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ અને મહામંત્રી ભરતસિંહ પણ સુરત એરપોર્ટ હાજર રહ્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments