Webdunia - Bharat's app for daily news and videos

Install App

AIMIM ચીફ ઓવૈસી કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાનને મળ્યા, કોંગ્રેસમાં ફરી ભંગાણના એંધાણ

Webdunia
સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (13:04 IST)
ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાયા અને નવા મંત્રીમંડળના ફેરફારથી વિધાનસભાની વહેલી ચૂંટણીની આશંકા લાગી રહી છે. રાજકીય પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી છે. ત્યારે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદ પહોંચ્યાં છે.ઓવૈસી અમદાવાદમાં આખો દિવસ રોકવાના છે. શહેરમાં ટાગોર હોલમાં પક્ષના નવનિયુક્ત હોદ્દેદારો સાથે મુલાકાત કરશે. તે ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણી અંગેની રણનીતિ પણ તૈયાર કરશે.

તેઓ આજે સાબરમતિ જેલમાં બંધ ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર અને સોથી વધુ લોકોના હત્યારા અતિક અહેમદને જેલમાં મળે તે પહેલાં જ ખાનપુરની લેમન ટ્રી હોટેલમાં પોલીસે તેમને રોકી લીધા હતાં. ઓવૈસી હોટેલથી નીકળીને દરિયાપુર પહોંચ્યા હતાં. જ્યાં ચારવાડમાં લોકોની સાથે મુલાકાત કરી હતી. તેમણે કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ ખાન સાથે પણ મુલાકાત કરી હતી. આ પરથી એવું કહી શકાય કે જો શહેજાદખાનને 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની ટીકિટ નહીં મળે તો તેઓ AIMIMમાંથી ચૂંટણી લડશે. હાલ ઓવૈસી મિરઝાપુર જવા રવાના થયાં છે. તેમની સાથે 10 કાર અને 200 જેટલી બાઈક છે. જેથી સમગ્ર વિસ્તારમાં મિની રોડ શો જેવો માહોલ જોવા મળ્યોછે.

કોંગ્રેસના શહેજાદખાન ઘણા સમયથી પાર્ટીથી નારાજ છે. 2022ની ચૂંટણી માટે તેઓ હાલ રણનીતિ બનાવવા માટે પાર્ટીના વરિષ્ટ નેતાઓને મળશે. જેમાં પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા અને બુદ્ધિજીવી લોકો સાથે મુલાકાત પણ કરશે. અમદાવાદમાં ઓવૈસી પત્રકારો સાથે પણ મળશે. તેમજ શહેરમાં બે અલગ અલગ મિટિંગમાં પણ હાજર રહેશે. હવે ઓવૈસીની પાર્ટી 2022માં 85થી 90 જેટલી સીટ પર ચૂંટણી લડવાનો પ્લાન કરી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

"સવારે હવન, રાત્રે તાજ હોટેલમાં બે પેગ..." 23 વર્ષની તપસ્યા, છતાં વિવાદોમાં ઘેરાઈ મમતા કુલકર્ણી

વધુ જુઓ..

નવીનતમ

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

Friendship Story- ખોટા મિત્ર

Turmeric For skin- હળદરમાં 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને દોષરહિત અને ચમકદાર ત્વચા મળશે.

એલ્યુમિનિયમ કૂકર કાળું થઈ ગયું છે, રસોડાની આ વસ્તુથી, તે ચાંદીની જેમ ચમકશે

આગળનો લેખ
Show comments