Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ahmedabad Building Collapse - અમદાવાદમાં ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થતા 5 લોકો દટાયા, ચારનો આબાદ બચાવ, એકનુ મોત

Webdunia
સોમવાર, 10 જુલાઈ 2023 (12:20 IST)
Ahmedabad Building Collapse
Ahmedabad News - અમદાવાદ શહેરના મીઠાખળી ગામમાં આજે વહેલી સવારે ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં કાટમાળ નીચે પાંચ જેટલા લોકો દટાયા હોવાની આશંકાને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ત્યારે નાની બાળકી સહિત ચાર જેટલા લોકોને સ્થાનિકોની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ફાયરબ્રિગેડ દ્વારા કાટમાળ નીચેથી ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
 
અમદાવાદ શહેરના મીઠાખળી ગામમાં આજે વહેલી સવારે ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થતા 5 લોકો દટાયા હતા. એક નાની બાળકી સહિત ચાર લોકોને સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે બહાર કાઢી લીધા હતા અને 108 મારફતે સારવાર માટે નજીકમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જો કે, એસવીપી હોસ્પિટલમાં સારવાર પહેલાં તો તેઓને ખર્ચ કહેવામાં આવ્યો હતો. પ્રતિ વ્યક્તિના સીટી સ્કેન સહિતનો ખર્ચ 8 હજાર રૂપિયા એમ ચાર વ્યક્તિનો કુલ 24 હજાર રૂપિયા જેટલા ખર્ચ થશે તેવું જણાવવામાં આવ્યું હતું. આટલી મોટી રકમ તાત્કાલિક આ પરિવારના લોકો ભરી શકે તેમ ન હોવાથી તેઓ સારવાર કર્યા વિના જ પરત ફર્યા હતા. એક તરફ SVP હોસ્પિટલને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હોસ્પિટલ કહી અને શરૂ કરવામાં આવી હતી, પરંતુ સારવારની જગ્યાએ તેઓને પૈસા ગણાવવામાં આવતા હોસ્પિટલ તંત્ર સામે સવાલ ઊભા થયા છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments