Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી

Ahmadabad news jagannath rathyatra
Webdunia
ગુરુવાર, 18 જૂન 2020 (17:00 IST)
સુપ્રીમ કોર્ટે ઓરિસ્સાના પુરીમાં 23 જૂનના રોજ શરૂ થનાર ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર ગુરુવારે પ્રતિબંધ મૂકી દીધો છે. જેને પગલે અમદાવાદમાં નીકળનારી જગન્નાથ રથયાત્રા પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં કોરોનાની મહામારી વચ્ચે રથયાત્રા ન કાઢવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ અરજદારે આ અરજી પર ઝડપી સુનાવણી કરવાની પણ માંગ કરી છે. બીજી બાજુ ગઈ કાલે અમદાવાદ સહિત રાજ્યમાં અલગ અલગ સ્થળે નીકળતી ભગવાન જગન્નાથજીની પારંપરિક રથયાત્રા કાઢવા અંગે રાજય સરકારે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નહીં હોવાની સ્પષ્ટતા રાજય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા એ કરી છે.પત્રકારો સાથેની વાતચીતમાં પ્રદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર આ બાબતનો ટૂંક સમયમાં નિર્ણય કરશે તેમ જણાવ્યું હતું રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય જગ્યાએ પણ પારંપરિક રથયાત્રા નીકળતી હોય છે જોકે ગુજરાતમાં વિજયભાઈ રૂપાણી ના માર્ગદર્શન હેઠળ કોરોના ઉપર અંકુશ મેળવવા પૂરતી સારવાર અને તબીબી સવલતો ઉપલબ્ધ કરાવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વ્રત સ્પેશિયલ - વ્રત માટે ફરાળી ચેવડો રેસીપી

બાળ પ્રેરક વાર્તા- મારું ઘર સૌથી શ્રેષ્ટ છે

Skin Care Tips- કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, તમારો ચહેરો સાફ દેખાશે.

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

વધુ જુઓ..

નવીનતમ

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

આગળનો લેખ
Show comments