Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં બેંક ડિફોલ્ટરોના કેસો વધ્યા,એનપીએના 340 કેસો પેન્ડિંગ

Webdunia
મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (12:38 IST)
બેંકોમાંથી લોન લઇને તે પરત ન કરવાના એનપીએના કેસોમાં ડિફોલ્ટરની મિલકત જપ્ત કરીને તેની હરાજી કરવા માટે વિવિધ બેંકો દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર સમક્ષ છેલ્લા ચારેક વર્ષમાં કુલ ૭૯૦ કેસોની અપીલ કરાઇ છે. જેમાંથી છેલ્લા ૧૨ માસમાં ૪૫૦ કેસોમાં ૬,૭૦૦ કરોડની મિલકત જપ્તીના આદેશ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. કલેક્ટર કચેરીમાં દર મહિને એનપીએના ૩૦ જેટલા કેસો નવા આવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરીમાં હાલમાં એનપીએના કુલ ૩૪૦ કેસો પેન્ડિંગ છે. જેમાં આશરે ચારેક હજાર કરોડની મિલકત જપ્તીના આદેશ આગામી સમયમાં આપવામાં આવે તેવી ધારણા છે. 
આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડેના જણાવ્યા મુજબ એનપીએના ૪૫૦ કેસોમાં ૬,૭૦૦ કરોડની મિલકત જપ્ત કરીને તેની હરાજી થકી રિકવરી કરવાના આદેશો અપાઇ ગયા છે. રિકવરીનો આ આંકડો આખો દેશમાં સૌથી વધુ છે. અમદાવાદમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન બેંક ડિફોલ્ટરના કેસો વધી રહ્યા છે. જેમાં વિવિધ બેંકો ડિફલ્ટરોએ મોર્ગેજમાં મુકેલી મિલકત જપ્ત કરવા માટે અને તેની હરાજી કરવા માટે કલેક્ટર સમક્ષ અપીલ કરતી હોય છે. આવા કેસમાં વારંવારની બેઠકો બાદ પણ કોઇ પરિણામ ન આવે તો તેવા કિસ્સામાં મિલકત જપ્તીના આદેશ આપી તેની હરાજી થકી બેંકને તેના પૈસા વસુલવાની છૂટ અપાતી હોય છે. 
કલેક્ટર કચેરી ખાતે મહિનામાં આવા ૩૦ જેટલા કેસો આવતા હોય છે. મહિનામાં બે વાર બોર્ડ બેઠક યોજાતી હોય છે. જેમાં આ કેસોના નિકાલ માટેની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. બેંક લોન પરત ન કરવાના કિસ્સામાં જે તે બેંક ડિફોલ્ટરને વર્ષ ૨૦૦૨ના એનપીએના કાયદા હેઠળ કલમ ૧૩/૨ ની નોટિસ ફટકારે છે. જેમાં ૬૦ દિવસનો સમય અપાય છે. તો પણ કોઇ જવાબ ન મળે તો બેંક કલમ ૧૪ હેઠળ ડિફોલ્ટરની મોર્ગેજમાં મુકેલી મિલકત જપ્ત કરવા માટે અને તેની હરાજી કરવા માટેની મંજૂરી આપવા માટે કલેક્ટર સમક્ષ અપીલ કરતી હોય છે. જેમાં બેંકો આ રીતે હરાજી કરીને તેના પૈસા ડિફોલ્ટરો પાસેથી વસુલતી હોય છે.
 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments