Webdunia - Bharat's app for daily news and videos

Install App

GSEB HSC Result 2022 - અમદાવાદમાં કોરોનામાં પિતા ગુમાવ્યા બાદ માતાના માર્ગદર્શનથી 90 ટકા મેળવ્યા,CA બનીને પિતાનું સપનું પૂરું કરશે

Webdunia
શનિવાર, 4 જૂન 2022 (14:14 IST)
કોરોનામાં અનેક બાળકોએ માતા-પિતા ગુમાવ્યાં છે ત્યારે અમદાવાદમાં હર્ષ નામના વિદ્યાર્થીએ પણ પોતાના પિતા ગુમાવ્યા હતા. પિતા ગુમાવતાં જાણે પરિવારે પર આભ તૂટી પડ્યું હતું. ત્યારે અભ્યાસ પર અસર ન થાય એ માટે હર્ષના માતાએ પિતાની જેમ માર્ગદર્શન આપ્યું હતું અને પિતાની કમી પૂરી કરી ત્યારે આજે હર્ષે 12 કોમર્સમાં 90 ટકા મેળવ્યા છે અને હવે CA કરવાનો ગોલ છે.

હર્ષે જણાવ્યું હતું કે હું રોજ સ્કૂલમાં ભણતો, એ બાદ 2 કલાક ટ્યૂશનમાં ભણતો હતો. એ બાદ ઘરે રોજ 6-7 કલાક જાતે ભણતો હતો. 11 કોમર્સમાં હતો એ દરમિયાન મારા પિતાને કોરોના થયો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. પિતા ગુમાવતાં પરિવારમાં સૌલોકો દુઃખી હતા, પરંતુ બીજી તરફ મારા અભ્યાસની ચિંતા હતી, જેથી મારા પરિવારમાં કાકા, ભાઈ, બહેન તથા માતાએ સપોર્ટ કર્યો હતો. અત્યારસુધી પિતા ભણાવતા હતા, પરંતુ તેમના ગયા બાદ તેમની કમી ખૂબ લાગતી હતી, જેથી માતાએ પિતાની જેમ માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું હતું. માતાના માર્ગદર્શનમાંથી પ્રોત્સાહન મળતું હતું, જે બાદ સારું ભણવાનું નક્કી કર્યું હતું. આજે મારે 90 ટકા આવ્યા છે. હજુ મારે CA કરવું છે અને પપ્પાનું સપનું છે એ પૂરું કરવું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments