Webdunia - Bharat's app for daily news and videos

Install App

અકસ્માત રાત્રે થાય છે, પોલીસ કાર્યવાહી દિવસે કરે છે, જેનો ભોગ ગરીબ લોકો બને છે; ભાજપના ધારાસભ્ય કાનાણી

Webdunia
સોમવાર, 31 જુલાઈ 2023 (16:17 IST)
Accidents happen at night, police action during the day, poor people are the victims; BJP MLA Kanani
સુરતમાં મોડી રાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ જેવો જ ભયાનક અકસ્માતની ઘટના બની હતી જેમા બીઆરટીએસ રુટ પર પુરપાટ ઝડપે આવેલી કારે છ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતની ઘટના બાદ સુરતના વરછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ અનેક સવાલો ઉઠાવ્યા હતા.

અમદાવામાં ઈસ્કોન બ્રિજ બાદ અનેક અકસ્માતની ઘટના બની હતી ત્યારે ગત મોડી રાત્રે સુરતમાં નબીરાએ પુરપાટ ઝડપે કાર ચલાવીને છ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટના બાદ સુરતના વરછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિકની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે પોલીસની કાર્યવાહી દિવસે થતી હોય છે જ્યારે અકસ્માતની ઘટના રાત્રે બને છે. દિવસના ટ્રાફિક ડ્રાઈવ ચાલાવાય છે જેમા 20-25 પોલીસના જવાનો રોડ પર ઉભા રહીને ટ્રાફિકના નિયમો ભંગ કરાનારા લોકોને દંડ કરે છે. જો કે અકસ્માતની ઘટના મોટે ભાગે રાત્રે બને છે. દિવસના આવી મોટી ઘટનાઓ બનવાની શક્યતા ઓછી છે કારણકે દિવસે તો ટ્રાફિક હોય છે.

સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુમાં કહ્યું હતું કે લાયસન્સ અને અન્ય વસ્તુને લઈ સામાન્ય લોકોને હેરાનગતિ થાય છે. પોલીસની કાર્યવાહી મોડી રાતે થવી જોઈએ. આ સિવાય સુરતમાં  ઇ મેમો અને CCTVનું કન્ટ્રોલ છે તેમજ નશો કરીને નીકળતા વ્યક્તિ પર કાર્યવાહી કરવી જોઈએ ફક્ત વહીવટી તંત્ર પર આધાર રાખવો જોઈએ નહીં. આ ઉપરાંત માતા પિતાએ પોતાના દીકરા-દીકરીઓ પર ધ્યાન રાખવું જોઈએ તેમ કહ્યું હતું. તેમણે બેફામ વાહન ચલાવવાની ઘટનામાં કડક કાર્યવાહી તેમજ કાયદામાં સુધારો જરુરી છે તેમ જણાવ્યું હતું. આ બાબતે CM અને HMનું ધ્યાન દોરીશું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments