Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં મોડી રાત્રે દુર્ઘટના સર્જાઇ, હાઇરાઇઝ બિલ્ડીંગની દિવાલ ધરાશાયી

Webdunia
મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (10:16 IST)
અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલા વૈષ્ણણ દેવી સર્કલા પાસે એક મોટી હોનારત સર્જાઇ હતી. પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. જેમાં હાઇરાઇઝ બિલ્ડીંગની દીવાલ ધરારાશાયી થતાં બાજુમાં પાર્ક કરેલી ગાડીઓ ધડાધડ ખાડામાં ખાબકી હતી. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી જાસમેન ગ્રીન 1 પાસે નવી બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 
બાજુના હાઇરાઈઝ બિલ્ડીંગની દીવાલ ધરાશાયી થતા પાર્ક કરાયેલી ગાડીઓ ખોદકામ કરાયેલા ખાડામાં 3 થી 4 ગાડીઓ ખાબકી હતી. એટલું જ નહીં નવી બની રહેલી બિલ્ડિંગના ખોદકામમાં બે માળ ઊંડા ખાડામાં ધડાધડ એક પછી એક કાર ખાબકતા લોકો દોડી આવતા લોકોના ટોળેટોળા વળી ગયા હતા. 
 
બાજુમાં બનીર અહેલા બિલ્ડીંગના બેઝમેન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન બાજુમાં આવેલી બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થઇ હતી. જેના લીધે તેમના બેઝમેન્ટ પાર્ક કરેલી કેટલીક ગાડીઓ ખાબકી હતી. બે થી 3 માળ જેટલા ઉંડા ખાડમાં ઘણી કાર ખાબકી ગઇ હતી. જેને લીધે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો હતો. 
 
આ ઘટનામાં અંડરગ્રાઉન પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પણ થયું છે. આ ઘટનાની માહિતી ફાયર બ્રિગેડને મળતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે જગ્યાએ દિવાલ ઘસી ગઈ છે ત્યા નજીકમાં કંસ્ટ્રક્શન કંપનીનું કામ ચાલી રહ્યું છે. જાસ્મીન ગ્રીન 1માં દિવાલ ઘસી પડવાની ઘટના બની છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments