Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ahmedabad - ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત

Ahmedabad - ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત  ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત
Webdunia
મંગળવાર, 30 મે 2023 (12:04 IST)
બે યુવાનોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
 
અમદાવાદમાં એસજી હાઈવે પર કાર ચાલકે માતા અને પુત્રીને અડફેટે લેતાં બંનેના મોત
 
 
 ગુજરાતમાં હાઈવે પર પસાર થતાં વાહનોની બેફામ ગતિને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આજે ધંધુકા-બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય બેને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 
 
ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે ધંધુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 
 
અમદાવાદમાં એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના
અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે પર એક કાર ચાલકે માતા અને દીકરીને અડફેટે લીધા હતાં અને ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજી એક ઘટનામાં ગત 28 મેના રોજ અમરાઈવાડી વિસ્તારમાં બીઆરટીએસ ટ્રેકમાં એક્ટિવા લઈને જતી નર્સને કાર ચાલકે અડફેટે લીધી હોવાનો બનાવ બન્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

ગુજરાતી લગ્ન પીઠી રીત

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

વધુ જુઓ..

નવીનતમ

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

આગળનો લેખ
Show comments