Webdunia - Bharat's app for daily news and videos

Install App

Junagadh News - જૂનાગઢ બાદ હવે અમદાવાદમાં દિવાલ ધરાશાયી

Webdunia
બુધવાર, 2 ઑગસ્ટ 2023 (10:50 IST)
building collaspe
જૂનાગઢમાં હજુ થોડા સમય પહેલા બે માળની બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના બની હતી જેમા બે બાળકો સહિત ચાર લોકોના મોત થયા હતા ત્યારે હવે આજે વહેલી સવારે અમદાવાદમાં એક બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થતા એક મજૂરનું દબાઈ જતા મોત થયું છે.  જેથી આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી છે. જે બાદ ફાયરની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. 
 
વહેલી સવારે બની ઘટના
શહેરના મકરબા વિસ્તારમાં આજે વહેલી સવારે એક બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થતા એક મજૂરનું મોત થયું છે. ફાયર વિભાગની ટીમ દ્વારા કાટમાળ ખસેડીને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઈનસેપ્ટન નામના બિલ્ડીંગના ત્રીજા માળમાં આ ઘટના બની હતી તેમજ બિલ્ડીંગમાં રિનોવેશનની કામગીરી ચાલતી હતી. આ ઉપરાંત મૃતક મજૂર રાજસ્થાનનનો હોવાનું જાણવા મળ્યુ હતું. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

આગળનો લેખ
Show comments