Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિસાવદર તાલુકાના કાલસારીમાં ત્રણ આંખ ધરાવતો વાછરડો જન્મ્યો

Webdunia
શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (11:28 IST)
વિસાવદર તાલુકાના કાલસારી ગામે એક ખેડૂતની ગાયને 3 આંખવાળો વાછરડો જન્મ્યો હતો. જોકે, બેજ દિવસમાં તેનું મોત થયું હતું. આ વાછરડાને જોવા લોકો ઉમટ્યા હતા.વિસાવદર તાલુકાના કાલસારી ગામના ખેડૂત કચરાભાઇ અરજણભાઇ સુખડિયાનું ખેતર ગોવિંદપરા ગામની સીમમાં આવેલું છે. તે માલઢોર પોતાના ખેતરેજ રાખે છે. 4 દિવસ પહેલાં તેમની ગાયે 3 આંખવાળા વાછરડાને જન્મ આપ્યો. તેને જોઇ પરિવારજનો અચરજ પામ્યા હતા.

આ વાત ફેલાતાં ગામલોકો આ વિચિત્ર વાછરડાને જોવા ઉમટી પડ્યા હતા. પશુ ડોક્ટરને બોલાવતાં તેણે અભિપ્રાય આપ્યો હતો કે તે થોડા કલાકજ જીવશે. કારણકે 3 આંખ હોવાની સાથે તેનું મોઢું એક આંગળજ ખુલતું હતું. આથી તે દૂધ પી શકતો નહોતો. તેમની વાત સાચી ઠરી હતી. જન્મના બેજ દિવસ બાદ વાછરડો મૃત્યુ પામ્યો હતો.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments