Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારી બસ અડફેટે આવી ગયું ઘેટા-બકરાંનું ટોળું, 135ના મોત, 25થી વધુ ઘાયલ

Webdunia
રવિવાર, 30 ઑક્ટોબર 2022 (10:41 IST)
કચ્છના સુરજબારી બ્રિજ પર આજે પૂરપાટ ઝડપે આવી રહેલી એસ.ટી.એ ઘેટા-બકરાને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 135 ઘેટાં-બકરાંનાં મોત થયાં હતાં. જેના કારણે પુલ પર પશુઓના લાશોનો ઢગલો જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં 25 જેટલા ઘેટાં-બકરાંને ગંભીર ઈજાઓ પહોંચી છે.
 
કચ્છના પ્રવેશ દ્વાર સૂરજબારી બ્રિજ પાસે આ અકસ્માત સર્જાયો હતો. પુલ પર પુરપાટ ઝડપે એક એસટી આવી રહી હતી અને તે દરમિયાન ઘેટાં-બકરાંનું ટોળું પણ અહીંથી પસાર થઈ રહ્યું હતું. બસનો જોરદાર હોર્ન સાંભળીને ટોળું વિખેરાઈ ગયું અને મોટો અકસ્માત સર્જાયો. બસ નીચે કચડાઈને 135 પશુઓના મોત થયા હતા. જ્યારે 25 ગંભીર રીતે ઘાયલ થયા હતા.
 
આ અકસ્માતમાં 100 માદા અને 35 નર ઘેટાંના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતના સમાચાર મળતા જ માલધારી સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અસરગ્રસ્ત માલધારીઓને આર્થિક મદદ કરવાની ખાતરી આપી હતી. અકસ્માત સમયે બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments