Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાયી, કાટમાળમાં દટાયેલા ત્રણ વ્યક્તિઓનું ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યુ

Webdunia
શનિવાર, 17 જૂન 2023 (16:50 IST)
ahmedabad
કાટમાળમાંથી બહાર કઢાયેલા ત્રણ વ્યક્તિઓમાં એક મહિલા અને બે પુરુષોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા
 
 શહેરના કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાહી થવાની ઘટના બની છે. કાલુપુરમાં સ્વામીનારાયણ મંદિરની પાછળ બપોરે બે વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જર્જરિત મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો દટાયા હતાં. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડને સ્થાનિક લોકોએ પણ મદદ કરી હતી. 
 
નવા વાસમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના કાલુપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા નવા વાસમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો દટાયા હતાં. ફાયરબ્રિગેડને ઘટનાની જાણ થતાં જ ટીમ રવાના થઈ ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર વિભાગે કાટમાળમાંથી એક મહિલા અને એક પુરૂષને બહાર કાઢ્યા હતાં બંને જણાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.કાટમાળમાં દટાયેલા એક વ્યક્તિને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે ફાયર વિભાગની સાથે સ્થાનિક લોકો પણ મદદ માટે જોડાયા છે. 
 
ફાયરબ્રિગેડના જવાનોએ ત્રણેય વ્યક્તિઓનું રેસ્ક્યૂ કર્યું
મકાન ધરાશાયી થતાં લોકોના ટોળા જામ્યા હતાં. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટોળાને વિખેરવા માટે પ્રયાસો કર્યા હતાં. આ ઘટનામાં રેસ્ક્યૂ માટે ફાયર વિભાગની નવ ગાડીઓ રેસ્કયૂ ઓપરેશનમાં જોડાઈ હતી. ફાયરવિભાગે ત્રણેય વ્યક્તિઓને કાટમાળ નીચેની બહાર કાઢતાં રાહતનો શ્વાસ લીધો હતો. ત્રણમાંથી એક વ્યક્તિને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યો હતો. દટાયેલા વ્યક્તિઓમાં મહિલાનું નામ નીલાબેન જ્યારે એક પુરુષનું નામ રાહુલભાઈ હોવાનું સામે આવ્યું છે. તો બેભાન અવસ્થામાં મળી આવેલ પુરુષની ઓળખાણ કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળી પહેલા મોંઘવારી પર અંકુશ આવશે! 'કાંદા એક્સપ્રેસ' મહારાષ્ટ્રથી સસ્તી ડુંગળી લાવી રહી છે

મહારાષ્ટ્રની ચૂંટણી પર હરિયાણાની ચૂંટણી પરિણામોની નહી થાય અસર - શરદ પવાર

Maharashtra Election 2024 - ઠાણેના કલ્યાણમાં 95 એ આપ્યા ઈંટરવ્યુ, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આપશે ટિકિટ ?

Jharkhand Election 2024 : બીજેપીની પહેલી લિસ્ટમાં અનેક દિગ્ગજોના નામ, જાણો કોણ છે રેસમાં અને કોનુ થશે પત્તુ સાફ

Sheikh Hasina શેખ હસીનાની સામે ધરપકડનું વૉરંટ

આગળનો લેખ
Show comments