Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના ભાજપના નેતા અને પોલીસકર્મી દારૂની હેરાફેરી કરતાં પકડાયા

Webdunia
શનિવાર, 27 જુલાઈ 2024 (13:06 IST)
A BJP leader and a policeman from Ahmedabad were caught smuggling liquor
ગુજરાતમાં ભાજપના જ નેતા દારૂના મોટા જથ્થા સાથે પકડાયા છે. આ નેતા સાથે અમદાવાદના પોલીસ કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના બિલડિયા ગામ પાસેથી પોલીસે જયેશ ભાવસાર નામના ભાજપના નેતાની દારૂ સાથે ધરપકડ કરી છે. જયેશ ભાવસારની ધરપકડ થઈ ત્યારે અમદાવાદ શહેરના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI પ્રવીણકુમાર ચૌહાણ સાથે હતા. આ આરોપીઓને ચિઠોડા પોલીસે વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે ઝડપી લીધા છે. ભાજપના આગેવાનો સાથે જયેશ ભાવસાર ઘરોબો ધરાવે છે.
 
વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા
ગુજરાતમાં પોલીસ અને ભાજપના આગેવાન પણ દારૂની હેરાફેરી કરતા હોવાની હકીકતનો પર્દાફાશ થયો છે.અસારવાના કલાપીનગર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને ભાજપના અસારવા વોર્ડના પૂર્વ પ્રમુખ અને હાલ અમદાવાદ શહેર ભાજપમાં નેતાગીરી કરતાં જયેશ ભાવસાર તથા અમદાવાદ શહેરના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં આર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા પ્રવીણકુમાર ચૌહાણને 25મી જુલાઈએ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
 
ચિઠોડા પોલીસે બિલડિયા ગામે વોચ ગોઠવી હતી
રાજસ્થાનથી એક લકઝુરિયસ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ચિતરિયા થઇ અમદાવાદ બાજુ જવાની હોવાની અગાઉથી મળેલી બાતમીના આધારે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા પોલીસે બિલડિયા ગામે વોચ ગોઠવી હતી.આ સમયગાળામાં દઢવાવ બાજુથી એક ગાડી આવતાં પોલીસે રોકી હતી. ગાડીની વચ્ચેની સીટના ભાગે તથા પાછળની સીટના ભાગે વિદેશી દારૂનાં બોક્સ મળ્યાં હતાં. આ ગાડી અમદાવાદ શહેરના શાહીબાગ હેડ કવાર્ટરના ASI પ્રવીણકુમાર ચૌહાણ ચલાવતા હતા. તેની બાજુમાં જયેશ ભાવસાર બેઠા હતા.પોલીસે આરોપીઓ પાસેથી વિદેશી દારૂ તથા બિયરની કુલ 893 બોટલ જપ્ત કરી છે, જેની કિંમત 1,96,490 થાય છે. વિદેશી દારૂની સાથે ગુનામાં વપરાયેલી 5 લાખની કિંમતની ગાડી તેમજ મોબાઇલ વગેરે મળીને કુલે 7,12,490નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
 
રાજસ્થાનથી દારૂ લઈને આવતા હતાં
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના પહાડાથી ભરત નામના માણસે ભરીને આપ્યો હતો અને અમદાવાદના સરદારનગર સ્થિત ટાઉનશિપ સિટીમાં આવેલા ભગવતીનગરમાં રહેતા કિશોર કનૈયાલાલ વંજાનીને પહોંચાડવાના હતા. પોલીસે પ્રવીણકુમાર ધનજીભાઇ ચૌહાણ, જયેશ ભરતભાઇ ભાવસાર, પ્રહલાદ ઓમપ્રકાશભાઇ સોનગરા તેમજ કિશોર કનૈયાલાલ વંજાની અને ભરત સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને એ.એસ.આઇ. પ્રવીણ ચૌહાણ, ભાજપના કાર્યકર જયેશ ભાવસાર તેમ જ પ્રહલાદ સોનગરાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments