Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં સ્કૂલવાન રિવર્સ લેતા 5 વર્ષનો માસૂમ કચડાયો

Webdunia
ગુરુવાર, 8 ઑગસ્ટ 2024 (18:33 IST)
ગુજરાતમાં સ્કૂલવાન દ્વારા થતાં અકસ્માતો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. સુરતમાં એક સોસાયટીમાં રિવર્સ લેતી વખતે સ્કૂલવાન ચાલકે પાંચ વર્ષના બાળકને ચગદી નાંખતાં ચકચાર મચી જવા પામી છે. સોસાયટીમાં રમતો બાળક પરિવારમાં એકનો એક દીકરો હતો. તેના મૃત્યુના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે સ્કૂલવાન ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 
 
સુરતમાં સિંગણપોર પોલીસના જણાવ્યા પ્રમાણેસિંગણપોર રોડ ખાતે આવેલી નંદનવન સોસાયટીમાં પારસભાઈ નારીગરા રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો એકનો એક દીકરો 5 વર્ષીય શ્લોક સોસાયટીમાં રમી રહ્યો હતો. તે સમયે શારદા સ્કૂલની વાન સોસાયટીમાં વિદ્યાર્થીઓને મૂકવા માટે આવી હતી. સ્કૂલ વાનના ચાલક વિદ્યાર્થીઓને ઉતારી જઈ રહ્યો હતો. ત્યારે રિવર્સ લેતા શ્લોકને અડફેટે લઈ કચડ્યો હતો જેથી શ્લોકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે વાનચાલક સંજય પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
 
મૃતક બાળકના પરિવાર તરફથી જાણવા મળ્યું હતું કે, પારસભાઈના પંદર વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને 15 વર્ષના લગ્ન જીવન દરમિયાન 10 વર્ષ બાદ શ્લોકનો જન્મ થયો હતો. 5 વર્ષનો શ્લોક એકનો એક દીકરો હતો. માસુમ શ્લોક અકસ્માતમાં મૃત્યુ પામતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારે માસૂમ શ્લોકની આંખોનું દાન કર્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments