Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પરથી 20 વર્ષના યુવાને છલાંગ મારી જીવન ટૂંકાવ્યું

Webdunia
શનિવાર, 15 જૂન 2024 (18:05 IST)
Dhruv Parmar Kadri advocates
 શહેરમાં સાબરમતિ નદીના પુલ પરથી ઝંપલાવીને આપઘાત કરવાના કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે હવે શહેરમાં મેટ્રો સ્ટેશન પરથી છલાંગ લગાવીને આપઘાત કરવાની ઘટના બની છે. શહેરના વસ્ત્રાલ મેટ્રો રેલવે સ્ટેશન પરથી આજે એક 20 વર્ષના યુવાને છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ દોડી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 
 
40 ફૂટ ઊંચેથી કૂદકો મારીને જીવન ટૂંકાવ્યું
સુત્રોના જણાવ્યા પ્રમાણે અમરાઈવાડીમાં કાદરી વકીલની ચાલીમાં રહેતા 20 વર્ષની ઉંમરના ધૃવ પરમારે આજે સવારે મેટ્રો સ્ટેશન પરથી છલાંગ લગાવીને આપઘાત કર્યો હતો. તેણે મેટ્રો સ્ટેશન પહોંચ્યા બાદ 40 ફૂટ ઊંચેથી કૂદકો માર્યો હતો.સ્થાનિકોએ 108ને જાણ કરવામાં આવી હતી. લોકો જ્યારે ધૃવ પાસે પહોંચ્યા હતાં ત્યારે તેનું મોત નિપજ્યું હતું. 
 
પોલીસે સુસાઈટ નોટ હતી કે નહીં તે શોધવા પ્રયાસો શરૂ કર્યા
આ ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ દોડી ગઈ હતી અને ધૃવ પરમારે કયા કારણોસર આપઘાત કર્યો છે તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આપઘાત કરનાર પાસે કોઈ ચીઠ્ઠી હતી કે નહીં તે શોધવાનો પ્રયાસ શરૂ કરી દેવાયો છે. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોલ્પિટલ ખસેડ્યો છે. આ બાબતની જાણ થતાં મૃતક ધૃવ પરમારના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

નવરાત્રિમાં 30 નિયમની ગાઈડલાઈન - આયોજકો/વ્યવસ્થાપકો માટે 30 નિયમ

આગળનો લેખ
Show comments