Webdunia - Bharat's app for daily news and videos

Install App

78 ભારતીય માછીમારોનું અપહરણ- 13 બોટ સાથે 78 માછીમારોને બંધક બનાવી

Webdunia
બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (12:53 IST)
ભારતીય જળસીમામાંથી 10 બોટ અને 60 માછીમારના અપહરણ, સપ્તાહમાં અપહરણનો ચોથો બનાવ
પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય જળસીમાં માંથી 10 બોટ અને 60 માછીમારના અપહરણ કરી લઈ ગયા છે. પોરબંદર, ઓખા અને માંગરોળની બોટ હોવાનું જાણવા મળે છે.પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા છાસવારે ભારતીય જળસીમામાં ઘુસીને ભારતીય બોટ સહિત માછીમારોના અપહરણ કરી લઈ જવાની ઘટના સામે આવે છે ત્યારે ગઈકાલે મંગળવારે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળસીમાં માંથી માછીમારી કરી રહેલ 10 બોટ અને 60 માછીમારોના અપહરણ કરી પાકિસ્તાન લઈ ગયા છે. બોટ અને માછીમારોના નામ હવે જાહેર થશે તેવું માછીમાર આગેવન મનીષ લોઢારીએ જણાવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળસીમામાં ઘુસીને બોટ તથા માછીમારોના અપહરણ કરવાનો એક અઠવાડિયામાં આ ચોથો બનાવ છે. જેમાં ઓખાની તુલસીમૈયા બોટ અને 7 માછીમાર, નવસારીની સત્યવતી બોટ અને તેમાં સવાર 3 માછીમાર, બે દિવસ પૂર્વે જ મેરાજ અલી અને અલ અહદ બોટ અને તેમાં સવાર 13 માછીમાર તેમજ મંગળવારે 10 બોટ અને 60 માછીમારના બોટ સાથે પાક. મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરી લઈ ગયા છે. આમ અઠવાડિયામાં ચોથો બનાવ બન્યો છે. હાલ પાકિસ્તાનના કબ્જામા 600 ભારતીય માછીમાર અને 1200 ભારતીય બોટ છે. છાસવારે અપહરણની ઘટના સામે આવી રહી છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments