Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં રત્નમણિ જૂથના 500 કરોડના બિનહિસાબી વ્યવહાર પકડાયા; 8.30 કરોડના દાગીના,1.80 રોકડા જપ્ત

Webdunia
બુધવાર, 8 ડિસેમ્બર 2021 (10:05 IST)
અમદાવાદ શહેરની રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યૂબસ પર ઈન્કમટેક્સના દરોડા દરમિયાન રોકડા રૂ. 1.80 કરોડ અને રૂ.8.30 કરોડના દાગીના મળ્યા છે. 23 નવેમ્બરે શરૂ કરવામાં આવેલા દરોડા હજુ ચાલુ છે અને વધુ 500 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે. ઈન્કમટેક્સે જૂથની અમદાવાદ અને મંુબઇમાં મળી 30થી વધુ જગ્યાએ એક સામટા દરોડા પાડ્યા હતા. રત્નમણિ ઉપરાંત મોનાર્ક નેટવર્ક અને એસ્ટ્રલ પાઇપ્સ સાથે સંકળાયેલી કંપનીઓ પર પણ દરોડા પડ્યા હતા. પ્રકાશ સંઘવી રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. સર્ચ ઓપરેશન દરમિયાન, મોટી સંખ્યામાં બિનહિસાબી દસ્તાવેજો, છૂટક પત્રકો, ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. આ પુરાવામાં જૂથની બિનહિસાબી આવકનો વિગતવાર રેકોર્ડ છે, જેના પર બાકી કર ચૂકવ્યો નથી. સર્ચ દરમિયાન ડિલિટ કરેલા વોટ્સએપ ચેટમાંથી કરપાત્ર આવક ઘટાડવા માટે કેટલીક એન્ટ્રી થયાના પુરાવા મળ્યા છે.કેટલીક બેનામી પ્રોપર્ટીની પણ ઓળખ કરી છે. પુરાવાની પ્રાથમિક જાણકારી મુજબ કંપની ભંગાર માલનો રોકડમાં વેચાણ કરી તેનો હિસાબ રાખતી નહોતી. જે એકાઉન્ટના નિયમિત ચોપડાઓમાં એન્ટ્રી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments