Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમગ્ર ગુજરાતમાંથી ઉત્તરપ્રદેશ અને બિહારના 50 હજારથી વધુ લોકોની હિજરત

Webdunia
મંગળવાર, 9 ઑક્ટોબર 2018 (12:06 IST)
બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ રાજ્યનાં અનેક વિસ્તારોમાં પરપ્રાંતીય નાગરીકોને ટારગેટ કરાયા છે. જેને પગલે તેઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. ઘર ખાલી કરવાની સતત મળી રહેલી ધમકીઓ અને હૂમલો કે તેની આશંકાને પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ લોકોની હિજરત થઇ ચૂકી છે. જો સ્થિતિ સુધરશે નહીં તો હજુ ગુજરાતમાંથી હિજરત કરી જવાનો આંકડો વધશે.

શાંતિપ્રિય ગણાતા ગુજરાતમાં બની રહેલી ઘટનાઓના પડઘા અન્ય રાજ્યોમાં પણ પડયા છે. તેની સરકારો પણ ચિંતીત થઇ છે. સતત ચાલી રહેલી વાટાઘાટો અને સલામતિનાં બણગાઓ પરપ્રાંતીય પરિવારોએ ગુજરાતમાંથી ઉચાળા ભરવાનું શરૃ કર્યું છે. જેને પગલે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી તમામ ટ્રેનો ફૂલ થઇ ગઇ છે. આ માર્ગ પર દોડતી સરકારી - લકઝરી બસોમાં પણ જગ્યા નથી. આવા માહોલમાં ગુજરાત સરકારે હિજરત કરી ગયેલા પરપ્રાંતીય નાગરીકોને ફરીથી ગુજરાત આવી જવાની અપીલ કરી છે. તેમજ હજુ જે ગુજરાતમાં છે તેવા લોકોને હિજરત નહીં કરવાની વિનંતી પણ કરી છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે તમારી સુરક્ષાની જવાબદારી અમારી છે. તેમજ જે હૂમલા થયા છે તેનાં દોષિતોને છોડવામાં નહીં આવે.
 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments