Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ડ્રેનેજ કામગીરી દરમિયાન 2 સફાઈ કર્મચારીઓનુ મોત

Webdunia
ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (18:25 IST)
અમદાવાદના બોપલની DPS સ્કૂલ પાસે ડ્રેનેજની કામગીરી સમયે ગટરલાઈનનું કામ કરતા ત્રણ સફાઇ કર્મચારીઓ ગટરની અંદર પડી ગયા હતાં. જેથી તેઓને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં 2 સફાઇ કર્મચારીઓનાં મોત નિપજ્યાં છે અને અન્ય 1 વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે.
 
બોપલ શીલજ કેનાલ પાસેની ઘટના,  મજૂરોનું રેસ્ક્યૂ ઓપરેશન કરવાની કામગીરી  
 
શહેરમાં ગટરની સફાઇ કરતા કામદારોના મોતની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. પણ આંખ આડા કાન કરી રહેલા તંત્રને ન તો ગરીબ કામદારનો જીવ વહાલો છે ન પરિવારની ચિંતા. આજે વધુ ત્રણ શ્રમિકોના ગટરમાં ડૂબાવાથી મોતને ભેટયા છે. અમદાવાદમાં ડ્રેનેજ લાઈનમાં કામગીરી કરતા 3 કામદારો ગટર સફાઇ કરવા ગટરમાં ઉતરતા જીવ ખોવાનો વારો આવ્યો છે.
 
ચાલુ કામમાં બની ઘટના 
 
અમદાવાદના બોપલ શીલજ કેનાલ પાસે ડ્રેનેજ લાઈનમાં કામ ચાલતું હતુ તે દરમિયાન 3 શ્રમિકોના મૃત્યુ થયા છે. ડ્રેનેજ લાઈન એટલે કે ગટરની સફાઇ કરવા આ શ્રમિકો ગટરમાં ઉતાર્યા હતા જે બાદ ડૂબી જવાથી કામદારોના મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. યોગી કન્સ્ટ્રકશન નામની કંપની ગટર લાઈનનું કામ કરે છે જેનો માલિક સંકેત પટેલ છે પણ યોગી કન્સ્ટ્રકશને એક પેટા કોન્ટ્રાક્ટરને આ કામ સોંપ્યું હતું પણ એક મજૂર ગટરનું કામ કરતા અંદર બેભાન થયો હતો જે બાદ એકને બચાવવા જતા બીજા બે મજૂર ઉતર્યા અને ત્રણેયના મૃત્યુ થયા હતા. મહત્વનું છે કે બોપલ-શિલજની આ ગટરલાઈન ચાલુ જ નથી થઈ અને હજુ તો ગટરના કનેકશન પણ કેટલીક સોસાયટીઓમાં આપવાના બાકી છેઆસપાસના લોકોને જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments