Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં 6 માળનું બિલ્ડીંગ ધરાશાયી થતાં 15 લોકો ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂની કામગીરી શરૂ

Webdunia
શનિવાર, 6 જુલાઈ 2024 (16:53 IST)
15 people injured after 6-storey building collapses in Surat
શહેરમાં આજે સવારે પાંડેસરા GIDCમાં આગની ઘટના બની હતી. આગ હોલવવા માટે ફાયરની 18 ગાડીઓ દોડી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. બીજી તરફ શહેરના સચિન વિસ્તારમાં પાલીગામ ખાતે ફરીવાર ફાયર વિભાગની દોડાદોડ થઈ છે. આ વિસ્તારમાં 6 માળની ઈમારત એકાએક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતું થયું છે. પાલીગામ વિસ્તારમાં આવેલી 6 માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતાં આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. ઇમારત ધરાશય થવાની ઘટના બનતા ફાયર વિભાગ ઘટના સ્થળ ઉપર પહોંચીને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયરના જવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે. 
15 people injured after 6-storey building collapses in Surat
રેસ્ક્યૂની કામગીરી શરૂ
સચિન ડીએમનગરની 6 માળની ઇમારત ધરાશયી થતાં દોડધામ મચી ગઈ છે. આજુબાજુ પણ લોકો એકત્રિત થઈ ગયા છે. આ ઘટનામાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. કાટમાળ ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે ફાયર વિભાગ દ્વારા તમામ કાટમાળને દૂર કરવામાં આવી રહ્યું છે. કેટલાક લોકોને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments