Webdunia - Bharat's app for daily news and videos

Install App

જામનગરના વેપારીના 13 વર્ષના પુત્રનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત

Webdunia
મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (13:23 IST)
13-year-old son of Jamnagar businessman dies of heart attack in Mumbai
જામનગરના 13 વર્ષના તરૂણનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત થયું છે. જામનગરના રહેવાસી અને મુંબઈ અભ્યાસ કરતા ઓમ સચિનભાઈ ગંઢેચા નામના 13 વર્ષીય બાળકનું હાર્ટ એટેકથી મોત થતા ભારે અરેરાટી મચી છે. 
 
જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને પુરસ્કાર ગિફ્ટ શોપ નામની પેઢી ચલાવતા જામનગરના વેપારી સચીનભાઈ વેણીલાલ ગંઢેચાના 13 વર્ષની વયના પુત્ર ઓમનું મુંબઈમાં હૃદય રોગનો હુમલો આવી જતાં મોત થયું છે. જેથી પરિવારમાં શોક છવાયો છે.સચિનભાઈનો 13 વર્ષનો પુત્ર ઓમ કે જે મુંબઈમાં અભ્યાસ કરે છે, અને તેને આજે સવારે એકાએક હૃદય રોગનો હુમલો આવી ગયો હતો. જેથી તેનું મોત થતા આજે તેના મૃતદેહને જામનગર લાવવામાં આવી રહ્યો છે, અને બપોર બાદ કામદાર કોલોની વિસ્તારમાં આવેલા પુષ્પ એપાર્ટમેન્ટમાંથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવશે. આ દુઃખદ સમાચારને લઈને ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. માત્ર 13 વર્ષની વયના તરૂણનું હ્રદય રોગના હુમલાથી નિધન થતાં પરિવાર ભારે શોકાતુર બન્યો છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments