Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત-મહારાષ્ટ્રમાં વરસાદની ઘટનાઓમાં 10ના મોત, હજારો એક્ટરનો પાક નષ્ટ

Webdunia
શનિવાર, 18 માર્ચ 2023 (10:20 IST)
રાજ્યમાં કમોસમી વરસાદ ચાલુ રહેતા શુક્રવારે પણ ગુજરાતમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં પાંચ લોકોના મોત થયા હતા. 4 માર્ચથી રાજ્યના ભાગોમાં વરસાદના ત્રણ અલગ-અલગ તબક્કામાં વીજળી પડવા જેવી ઘટનાઓમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે, એમ ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના એક અધિકારીએ જણાવ્યું હતું.
 
તેમણે કહ્યું કે માત્ર શુક્રવારે દાહોદ, વડોદરા અને ડાંગ જિલ્લામાં વીજળી પડવાની કે ઝાડ પડવાની ઘટનાઓમાં પાંચ લોકોના મોત થયા છે. દાહોદ જિલ્લાના બોરખેડા અને ટુંકીવાઝુ ગામમાં બે લોકોના અને વડોદરા જિલ્લાના લલિતપુરા ગામમાં વીજળી પડતા એક ખેડૂતનું મોત થયું હતું.

માત્ર 20 રૂપિયાની સોપારી મટાડશે અનેક રોગ, પેશાબમાં બળતરા સહિતની આ સમસ્યાઓનો છે દેશી ઉપચાર <

Around 6 o'clock yesterday, heavy #wind and #rain were seen in #Surendranagar#Gujarat #rain #thunderstorms pic.twitter.com/V0T8I48509

— Weatherman Uttam (@Gujarat_weather) March 17, 2023 >
 
અધિકારીઓએ જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના ગાયગોથાણ ગામમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. તેમણે જણાવ્યું કે અભોડ ગામમાં વરસાદ વચ્ચે ઝાડ પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું. દિવસ દરમિયાન દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં વીજળી પડી હતી, જેમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હતી અને ટુંકીવાઝુ ગામમાં અનેક પશુઓના મોત થયા હતા.
 
મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદે પાંચના મોત; પાકને નુકસાન
મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિએ લગભગ 4,950 હેક્ટર વિસ્તારમાં પાકને નષ્ટ કરતાં પાંચ લોકોના મોત થયા હતા. સ્થાનિક તંત્રએ શુક્રવારે આ જાણકારી આપી. ડિવિઝનલ કમિશનરની કચેરી દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ મુજબ, મરાઠવાડા ક્ષેત્રના આઠ જિલ્લાઓમાં સરેરાશ 2.4 મીમી વરસાદ નોંધાયો છે. શુક્રવારે સૌથી વધુ વરસાદ નાંદેડમાં (5.7 મીમી) નોંધાયો હતો.
 
રિપોર્ટમાં જણાવાયું છે કે ગુરુવાર (16 માર્ચ) અને શુક્રવાર (17 માર્ચ) ના રોજ કમોસમી વરસાદ અને કરા સાથે સંબંધિત વિવિધ ઘટનાઓમાં પરભણી જિલ્લામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 23 અન્ય લોકો ઘાયલ થયા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 22 મોટા પ્રાણીઓ અને પાંચ નાના પ્રાણીઓ પણ મોત થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments