Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટુંડાનુ ગુજરાત સાથે છે કનેક્શન, 1993 ટ્રેન બ્લાસ્ટમાં ટુંડાનો હાથ !!

Webdunia
સોમવાર, 19 ઑગસ્ટ 2013 (10:49 IST)
:
PTI
દિલ્હીના સ્પેશિયલ સેલના હાથે ઝડપાયેલા અબ્દુલ કરીમ ટુંડાના ગુજરાત કનેક્શન અંગે ગુજરાત પોલીસ તપાસ કરી રહી છે. સુરત ખાતે વર્ષ ૧૯૯૩માં થયેલા ટ્રેન બ્લાસ્ટમાં ટુંડા વોન્ટેડ હોવાનું અનુમાન ગુજરાત પોલીસ સેવી રહી છે.

ગુજરાત એટીએસે ૧૯૯૨થી ૧૯૯૮ સુધી ટુંડાને શોધવા ગાઝિયાબાદ તેના મૂળ વતને અનેક આંટાફેરા કર્યાં હોવાની માહિતી ઉચ્ચ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી છે. મૂળ ગાઝિયાબાદનો અબ્દુલ કરીમ ટુંડા વર્ષો પહેલાં અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતો હતો.

ભારતના મોસ્ટ વોન્ટેડ ૨૦ આતંકવાદીઓ પૈકીના એક અબ્દુલ કરીમ ટુંડા અમદાવાદના દાણીલીમડા ખાતે મુમતાઝ નામની તેની બીજી પત્ની સાથે રહેતો હતો. થોડાં વર્ષો સુધી અમદાવાદ ખાતે રહ્યા બાદ અહીંથી તે ભાગી છૂટ્યો હતો.

૧૯૯૩માં સુરત રેલવે સ્ટેશન બહાર બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ બોમ્બ વિસ્ફોટમાં ટુંડાએ ભૂમિકા ભજવી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. આજે ટુંડા પકડાયો છે ત્યારે ગુજરાત પોલીસે પણ આ દિશામાં તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

૧૯૯૨થી ૧૯૯૮ સુધીના ગાળામાં થયેલા દેશભરના કેટલાક શહેરોમાં થયેલા બ્લાસ્ટમાં ટુંડાએ બોમ્બ બનાવવા અને બોમ્બ પ્લાન્ટ કરવા અંગે મહત્વની ભૂમિકા ભજવી હતી. લશ્કર-એ-તોયબાનો આ આતંકવાદી બોમ્બ બનાવવાનો મુખ્ય સૂત્રધાર હતો.

૧૯૯૬ સુધી ગુજરાત એટીએસ દ્વારા વખતોવખત ગાઝિયાબાદ ખાતે ટુંડાની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ સીબીઆઈએ ટુંડાને રેડર્કોનર નોટિસ ઈસ્યુ કરી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, છતાં તેણે છોકરીને ગર્ભવતી કર્યુ અને કહ્યું- તેને ખાટલા પર લઈ જઈને.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

Show comments