Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં બૌદ્ધ ટૂરિઝમ વિકસાવાશે

Webdunia
સોમવાર, 6 મે 2013 (15:05 IST)
P.R

મધ્ય ગુજરાત વિસ્તારમાં આવેલા બૌદ્ધ મઠ અને સૌરાષ્ટ્રમાં આવેલી ગુફાઓને બુદ્ધિસ્ટ ટુરિઝમ સર્કિટના એક ભાગરૂપે જાળવણી કરવાના પ્રયાસને ગુજરાત સરકારે વેગવંતો બનાવ્યો છે. બુદ્ધિસ્ટ ટુરિઝમ સર્કિટ માટેનો પ્રસ્તાવ કેન્દ્રની મંજૂરીને આધીન છે ત્યારે ગુજરાત સરકારે, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરાયેલા ખોદકામવાળી પ્રાચીન બુદ્ધ ગુફાઓ અને સ્થળોની જાળવણી કરવાના કામને ગતિશીલ બનાવ્યું છે.

મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે એ પ્રવૃત્તિમાં અંગત રસ લઇને તાજેતરમાં એ ખોદકામ કરાયેલાં સ્થળોની મહેસાણા જિલ્લાના વડનગરની મુલાકાત લઇને ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું હતું. મોદીએ તેમની મુલાકાત દરમિયાન કહ્યુ હતું કે, પ્રાચીનકાળમાં હજારો બોદ્ધ સાધુઓ આધ્યાત્મિક જ્ઞાન મેળવવા વડનગર આવતા હતા. એવું માનવામાં આવે છે કે, ભારતનો પૂર્વીય વિભાગ બુદ્ધથી પ્રભાવિત હતો, પરંતુ વડનગરમાં તેના અવશેષો મળી આવ્યા હોવાથી પફિુમ વિભાગમાં તેમના પ્રભાવનો અભ્યાસ કરવાની તક ઊભી થઇ છે.
P.R

યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ વડનગરમાં ખોદકામ દ્વારા મળી આવેલા અવશેષોના સ્થળને વરસાદ અને અન્ય પ્રદૂષણથી રક્ષણ આપવા ખાસ ફાઇબરનો વિશાળ શેડ બાંધવાની યોજના છે. બુદ્ધ મઠ અને સિક્કાઓના અવશેષોનાં દર્શન કરાવતી એ સાંસ્કૃતિક દીવાલને બાંધવાની પણ અમારી યોજના છે. એ અધિકારીના જણાવ્યા મુજબ એ કામ માટે રૂ. ૪૦ લાખ ફાળવવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

Yogini Ekadashi 2024 Bhog: યોગિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને આ અર્પણ કરો, તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

Moral child Story - ઋષિની પુત્રી

Girl names starting with D - ડ પરથી નામ છોકરી અર્થ સાથે

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

વધુ જુઓ..

નવીનતમ

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન

Sonakshi sinha wedding- હિંદુ કે મુસ્લિમ, સોનાક્ષી અને ઝહીર કયા રિવાજો સાથે કરશે લગ્ન? રમુજી ક્ષણનો વીડિયો વાયરલ થયો હતો

Show comments