Festival Posters

પવિત્ર રમજાનનો મહિનો

Webdunia
N.D

પવિત્ર રમજાન મહિનો શબાબ પર છે. બજારની અંદર ચહેલ-પહેલ શરૂ થઈ ગઈ છે. આ મહિનાની ખાસ નમાઝ તરાવીહ માટે મસ્જીદમાં તૈયાર કરી દેવાઈ છે. ઘડિયાળના કાંટા જેવા સવારે 3.45 વાગ્યે સમયને અડકે છે શહેરમાં અસ્સલામ અલૈકુમ... ગુંજી ઉઠે છે. ઉંઘમાં ડુબેલા રોજદારોને આ જ રીતે સલામ કરીને મસ્જીદના ખિદમતગાર સહરી માટે જગાડે છે.

માઈકમાંથી દરેક દસથી પંદર મિનિટના અંતરે એલાન કરવામાં આવે છે અસ્સલામ અલૈકુમ મોહતરમ ઉઠી જાવ... સહરીનો સમય થઈ ગયો છે. સહરી માટે 15 મિનિટ બચી છે. સમય પુર્ણ થતા જ ફજરની અજાન થાય છે અને રોજદારો ઘરેથી મસ્જીદની તરફ નીકળી પડે છે અને શરૂ થઈ જાય છે રમજાનના નવા દિવસની ઈબાદતનો કાર્યક્રમ.

રામજાનના પવિત્ર મહિનામાં સવારે સહરી શરૂ થનારી ઈબાદતનો કાર્યક્રમ મોડી રાત્રી સુધી તરાવીહની નમાઝ સુધી ચાલે છે. તાજેતરમાં એવું છે કે મુસ્લીમ બહુલ વિસ્તારમાં શું બાળકો, શું ઘરડાં અને શું મહિલાઓ બધા જ ઈબાદતમાં ડુબેલા રહે છે. મસ્જીદમાં પાંચ સમયની નમાઝ અદા કરનાર તાદાદમાં પાંચ ગણો ફાયદો થાય છે તે વાતની સાબિતી આપે છે.

મસ્જીદના તાળા સામાન્ય રીતે સવારે ફજરની નમાઝથી પહેલાં (સવારે 5 વાગ્યે) જ ખુલે છે પરંતુ આ દિવસોમાં ગમે તે રીતે 3.30 વાગ્યે જ તાળા ખુલી જાય છે. મસ્જીદની સાફ-સફાઈ, જા-નમાઝ અને સહરી માટે એલાન કરવામાં આવે છે.

ધીમે-ધીમે લોકો પણ આવવા લાગે છે અને મસ્જીદની અંદર મેળા જેવો રંગ જામી જાય છે.

રોજાનો અર્થ ભુખ્યા રહેવાનો નથી પરંતુ ખરાબ કાર્યોમાંથી બચીને સારા કાર્યો કરવા અને સારા રસ્તે ચાલવાનો છે. આ એક મહિનાની ટ્રેનિંગ છે જેથી કરીને બાકીની જીંદગી પણ સારા કાર્યો કરતાં પસાર થાય.
વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments