Publish Date: Fri, 12 Apr 2024 (18:18 IST)
Updated Date: Fri, 12 Apr 2024 (18:33 IST)
karnataka news- કર્ણાટકમાં પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે એક વ્યક્તિએ કાલી દેવીની પૂજા કરી અને પોતાની આંગળી કાપી નાખી. રિપોર્ટ્સ અનુસાર, આ વ્યક્તિનું નામ અરુણ વર્નેકર છે
આ દરમિયાન તે લોહી ચઢાવવા માટે પોતાની આંગળીમાં ચીરા પાડવા માંગતો હતો પરંતુ ભૂલથી તેની આખી આંગળી કપાઈ ગઈ.
અરુણ વર્નેકર વ્યવસાયે સુવર્ણકાર છે. તે બીજેપી અને પીએમ મોદીના મોટા ફેન છે. તેણે પોતાના ઘરમાં એક નાનું મંદિર બનાવ્યું છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફોટા સ્થાપિત કરવામાં આવી છે. નીચે એક તકતી છે જેના પર લખ્યું છે કે, 'મોદી ભારત માતાના પૂજક છે, હું મોદી બાબાનો પૂજારી છું'.
વ્યક્તિ રક્તદાન કરવા માંગતી હતી
મીડિયા સાથે વાતચીત દરમિયાન વ્યક્તિએ કહ્યું કે તે મોદીની જીત માટે માતાજીની પૂજા દરમિયાન થોડું રક્ત દાન કરવા માંગતો હતો પરંતુ તેની આંગળીની ટોચ છરીથી કપાઈ ગઈ હતી. આ પછી અરુણ વર્નેકર લોહીથી લખ્યું, 'માતા કાલી આપણા મોદીની રક્ષા કરે.' અકસ્માત બાદ પરિવારના સભ્યો અરુણને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ કહ્યું કે હવે આ આંગળી જોડવી શક્ય નથી.