Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામનવમી વ્રતની વિધિ

Webdunia
ગુરુવાર, 11 એપ્રિલ 2019 (20:30 IST)
ચૈત્ર મહિનાની સુદની નોમને જ રામનવમી કહેવામાં આવે છે. આ દિવસે કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો હતો. ભારતીય જીવનમાં દિવસને પુણ્યનો તહેવાર માનવામાં આવે છે. આ વ્રતની ચારે જ્યંતિઓમાં ગણના છે. ભગવાન રામચંદ્રનો જન્મ થયો તે સમયે ચૈત્ર સુદ નવમી, ગુરૂવાર, પુષ્ય, મધ્યાહ્ન અને કર્ક લગ્ન હતો. ઉત્સવના દિવસે દરેક વખતે આ બધું તો આવી નથી શકતું પરંતુ જન્મર્ક્ષ ઘણી વખત આવી જાય છે તેથી જો તે હોય તો તેને અવશ્ય લેવો જોઈએ. મહાકવિ તુલસીદાસજીએ પણ આ દિવસથી જ રામચરિત માનસની રચના શરૂ કરી હતી. 

 
આ દિવસે શ્રીરામની પૂજા-અર્ચના કરવાથી વિશેષ લાભ થાય છે. રામનવમીની પૂજા વિધિ કંઈક આ પ્રકારની છે. 
1. સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરીને પૂજા સ્થળ પર પૂજન સામગ્રી સાથે બેસો 
2. પૂજામાં તુલસી પાન અને કમળનું ફૂલ જરૂર હોવુ જોઈએ. રામલીલાની મૂર્તિને હાર-ફૂલથી સુસજ્જિત કરી પારણાંમાં ઝુલાવવા જોઈએ. 
3. ત્યારબાદ શ્રીરામ નવમીની પૂજા ષોડશોપચાર કરો. રામાયણનો પાઠ અને રામરક્ષા સ્ત્રોતનો પણ પાઠ કરો. 
4. ખીર અને ફળ-મૂળને પ્રસાદના રૂપમાં તૈયાર કરો. 
5. પૂજા પછી ઘરની સૌથી નાની બાલિકા બધા લોકોને લલાટ પર કંકુનુ તિલક લગાવો.

રામનવમી વ્રત કેવી રીતે કરશો?
* વ્રત કરનારે નવમીના આગલા દિવસે સવારે સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન રામચંદ્રનું સ્મરણ કરો.
 
* બીજા દિવસે એટલે કે નવમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઘરની સાફ સફાઈ કરીને નિત્યકૃત્યથી નિવૃત્ત થવું જોઈએ. 
 
* ત્યાર બાદ ગંગાજળ અને શુધ્ધ જળનો ઘરમાં છંટકાવ કરીને તેને પવિત્ર કરવું જોઈએ. 
 
* ત્યાર બાદ 
'उपोष्य नवमी त्वद्य यामेष्वष्टसु राघव। तेन प्रीतो भव त्वं भो संसारात्‌ त्राहि मां हरे ॥'
 
મંત્ર વડે ભગવાન પ્રત્યે વ્રત કરનારે પોતાની ભાવના પ્રગટ કરો. 
 
* ત્યાર બાદ 
'मम भगवत्प्रीतिकामनया (वामुकफलप्राप्तिकामनया) रामजयंतीव्रतमहं करिष्ये' 
 
આ સંકલ્પ કરીને કામ-ક્રોધ-લોભ-મોહાદિથી વર્જીત થઈને વ્રત કરો.
 
* ત્યાર બાદ મંદિર અને પોતાના મકાનને ધજા અને તોરણો વગેરેથી શણગારો. 
 
* ઘરના ઉત્તર ભાગમાં રંગીન કપડાનો મંડપ બનાવો અને તેની અંદર સર્વતોભદ્રમંડળની રચના કરીને તેના મધ્ય ભાગમાં યથાવિધિ કળશની સ્થાપના કરો. 
 
* કળશની ઉપર રામપંચાયતનની ( જેના મધ્યમાં રામસીતા, બંને પાર્શ્વોમાં ભરત અને શત્રુધ્ન, પૃષ્ઠ પ્રદેશમાં શત્રુધ્ન અને પાદતલમાં હનુમાનજી) ની સુવર્ણ નિર્મિત મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરીને તેનું આવાહનાદિ ષોશોપચાર પૂજન કરો. 
 
* ત્યાર બાદ વિધિ વિધાનથી સંપૂર્ણ પૂજન કરો.

 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments