rashifal-2026

Ram Navami રામનવમી વ્રત કેવી રીતે કરશો?

Webdunia
ગુરુવાર, 2 એપ્રિલ 2020 (01:46 IST)
ચૈત્ર મહિનાની સુદની નોમને જ રામનવમી કહેવામાં આવે છે. આ દિવસે કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો હતો. ભારતીય જીવનમાં દિવસને પુણ્યનો તહેવાર માનવામાં આવે છે. આ વ્રતની ચારે જ્યંતિઓમાં ગણના છે. ભગવાન રામચંદ્રનો જન્મ થયો તે સમયે ચૈત્ર સુદ નવમી, ગુરૂવાર, પુષ્ય, મધ્યાહ્ન અને કર્ક લગ્ન હતો. ઉત્સવના દિવસે દરેક વખતે આ બધું તો આવી નથી શકતું પરંતુ જન્મર્ક્ષ ઘણી વખત આવી જાય છે તેથી જો તે હોય તો તેને અવશ્ય લેવો જોઈએ. મહાકવિ તુલસીદાસજીએ પણ આ દિવસથી જ રામચરિત માનસની રચના શરૂ કરી હતી. 

રામનવમી વ્રત કેવી રીતે કરશો?
* વ્રત કરનારે નવમીના આગલા દિવસે સવારે સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન રામચંદ્રનું સ્મરણ કરો.

* બીજા દિવસે એટલે કે નવમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઘરની સાફ સફાઈ કરીને નિત્યકૃત્યથી નિવૃત્ત થવું જોઈએ. 

* ત્યાર બાદ ગંગાજળ અને શુધ્ધ જળનો ઘરમાં છંટકાવ કરીને તેને પવિત્ર કરવું જોઈએ. 

* ત્યાર બાદ 
' उपोष्य नवमी त्वद्य यामेष्वष्टसु राघव। तेन प्रीतो भव त्वं भो संसारात्‌ त्राहि मां हरे ॥'

મંત્ર વડે ભગવાન પ્રત્યે વ્રત કરનારે પોતાની ભાવના પ્રગટ કરો. 

* ત્યાર બાદ 
' मम भगवत्प्रीतिकामनया (वामुकफलप्राप्तिकामनया) रामजयंतीव्रतमहं करिष्ये' 

આ સંકલ્પ કરીને કામ-ક્રોધ-લોભ-મોહાદિથી વર્જીત થઈને વ્રત કરો.

* ત્યાર બાદ મંદિર અને પોતાના મકાનને ધજા અને તોરણો વગેરેથી શણગારો. 

* ઘરના ઉત્તર ભાગમાં રંગીન કપડાનો મંડપ બનાવો અને તેની અંદર સર્વતોભદ્રમંડળની રચના કરીને તેના મધ્ય ભાગમાં યથાવિધિ કળશની સ્થાપના કરો. 

* કળશની ઉપર રામપંચાયતનની ( જેના મધ્યમાં રામસીતા, બંને પાર્શ્વોમાં ભરત અને શત્રુધ્ન, પૃષ્ઠ પ્રદેશમાં શત્રુધ્ન અને પાદતલમાં હનુમાનજી) ની સુવર્ણ નિર્મિત મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરીને તેનું આવાહનાદિ ષોશોપચાર પૂજન કરો. 

* ત્યાર બાદ વિધિ વિધાનથી સંપૂર્ણ પૂજન કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સિલિન્ડર કે પાઇપલાઇન કયું સસ્તું છે? PNG કનેક્શન કેવી રીતે મેળવવું તે જાણો.

શું રોજ સાંજે તમારા પગ પર પણ સોજો આવી જાય છે તો ધ્યાન આપો, તમને આ હેલ્થ પ્રોબ્લેમ્બ હોઈ શકે

Red chilli pickle- લાલ મરચાનું અથાણું

Kids Story- સર્કસનો હાથી

પ્રેગનેન્સી મહિલાઓએ માં શું ખાવું જોઈએ, જાણો

વધુ જુઓ..

નવીનતમ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 16 માર્ચ

Papmochani Ekadashi 2026: પાપામોચની એકાદશી પર કરો આ 5 મંત્રોનો જાપ, પરિવાર અને આર્થિક જીવનમાં મળશે શુભ ફળ

Aaj nu panchang - આજનુ પંચાગ - 15 માર્ચ

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj nu panchang - આજનુ પંચાંગ - 14 માર્ચ

આગળનો લેખ
Show comments