rashifal-2026

Ram Navami રામનવમી વ્રત કેવી રીતે કરશો?

Webdunia
ગુરુવાર, 2 એપ્રિલ 2020 (01:46 IST)
ચૈત્ર મહિનાની સુદની નોમને જ રામનવમી કહેવામાં આવે છે. આ દિવસે કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો હતો. ભારતીય જીવનમાં દિવસને પુણ્યનો તહેવાર માનવામાં આવે છે. આ વ્રતની ચારે જ્યંતિઓમાં ગણના છે. ભગવાન રામચંદ્રનો જન્મ થયો તે સમયે ચૈત્ર સુદ નવમી, ગુરૂવાર, પુષ્ય, મધ્યાહ્ન અને કર્ક લગ્ન હતો. ઉત્સવના દિવસે દરેક વખતે આ બધું તો આવી નથી શકતું પરંતુ જન્મર્ક્ષ ઘણી વખત આવી જાય છે તેથી જો તે હોય તો તેને અવશ્ય લેવો જોઈએ. મહાકવિ તુલસીદાસજીએ પણ આ દિવસથી જ રામચરિત માનસની રચના શરૂ કરી હતી. 

રામનવમી વ્રત કેવી રીતે કરશો?
* વ્રત કરનારે નવમીના આગલા દિવસે સવારે સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન રામચંદ્રનું સ્મરણ કરો.

* બીજા દિવસે એટલે કે નવમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઘરની સાફ સફાઈ કરીને નિત્યકૃત્યથી નિવૃત્ત થવું જોઈએ. 

* ત્યાર બાદ ગંગાજળ અને શુધ્ધ જળનો ઘરમાં છંટકાવ કરીને તેને પવિત્ર કરવું જોઈએ. 

* ત્યાર બાદ 
' उपोष्य नवमी त्वद्य यामेष्वष्टसु राघव। तेन प्रीतो भव त्वं भो संसारात्‌ त्राहि मां हरे ॥'

મંત્ર વડે ભગવાન પ્રત્યે વ્રત કરનારે પોતાની ભાવના પ્રગટ કરો. 

* ત્યાર બાદ 
' मम भगवत्प्रीतिकामनया (वामुकफलप्राप्तिकामनया) रामजयंतीव्रतमहं करिष्ये' 

આ સંકલ્પ કરીને કામ-ક્રોધ-લોભ-મોહાદિથી વર્જીત થઈને વ્રત કરો.

* ત્યાર બાદ મંદિર અને પોતાના મકાનને ધજા અને તોરણો વગેરેથી શણગારો. 

* ઘરના ઉત્તર ભાગમાં રંગીન કપડાનો મંડપ બનાવો અને તેની અંદર સર્વતોભદ્રમંડળની રચના કરીને તેના મધ્ય ભાગમાં યથાવિધિ કળશની સ્થાપના કરો. 

* કળશની ઉપર રામપંચાયતનની ( જેના મધ્યમાં રામસીતા, બંને પાર્શ્વોમાં ભરત અને શત્રુધ્ન, પૃષ્ઠ પ્રદેશમાં શત્રુધ્ન અને પાદતલમાં હનુમાનજી) ની સુવર્ણ નિર્મિત મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરીને તેનું આવાહનાદિ ષોશોપચાર પૂજન કરો. 

* ત્યાર બાદ વિધિ વિધાનથી સંપૂર્ણ પૂજન કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments