Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raksha Bandhan 2023: રક્ષાબંધન 30 કે 31 ઓગસ્ટ કયારે ઉજવાશે? જાણો રાખડી બાંધવાની સાચી તારીખ અને શુભ મુહુર્ત

Webdunia
બુધવાર, 19 જુલાઈ 2023 (00:52 IST)
Raksha Bandhan 2023 Date: કહેવાય છે કે ભાઈ-બહેનનો પ્રેમ આ દુનિયામાં સૌથી સુંદર છે. રક્ષાબંધનનો તહેવાર આ પ્રેમને સમર્પિત છે. આ દિવસે, બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. સાથે જ ભાઈ પણ તેની બહેનને વચન પણ આપે છે કે તે હંમેશા તેની સાથે રહેશે અને તેનું રક્ષણ કરશે. જો કે બદલાતા સમય સાથે તહેવારની ઉજવણીની રીતમાં પણ બદલાવ આવ્યો છે. હવે પ્રેમના તાંતણાથી બનેલી રાખડી માત્ર ભાઈના કાંડા પર જ નહીં પરંતુ બહેનના હાથ પર પણ બાંધવામાં આવી રહી છે. બહેનો પણ તેમની બહેનને રાખડી બાંધે છે, જીવનભર પ્રેમ અને સાથ આપવાનું વચન આપે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે, કારણ કે દર વર્ષની જેમ આ વખતે પણ રક્ષાબંધનની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે.
 
રક્ષાબંધન 2023 ની સાચી તારીખ શું છે?
રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે સાવન મહિનાની છેલ્લી પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ગત વર્ષની જેમ આ વખતે પણ રક્ષાબંધન એક નહીં પરંતુ બે દિવસ ઉજવાશે. ઉલ્લેખનીય છે કે આ વખતે રાખડીના તહેવાર પર ભદ્રાનો પડછાયો છે. આવી સ્થિતિમાં રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત 30મી ઓગસ્ટની રાત્રિથી શરૂ થશે, જે બીજા દિવસે સવાર સુધી ચાલશે, તેથી વર્ષ 2023માં રક્ષાબંધનનો તહેવાર 30 અને 31મી ઓગસ્ટ એમ બંને દિવસે ઉજવવામાં આવશે.
 
રક્ષાબંધન 2023 નો શુભ મુહુર્ત 
શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ શરૂ - 30 ઓગસ્ટ, 2023 રાત્રે 10.58 વાગ્યે
પૂર્ણિમાની તારીખ સમાપ્ત  - 31 ઓગસ્ટ 2023 સવારે 7.5 વાગ્યે
રક્ષાબંધનની તારીખ-30 અને 31 ઓગસ્ટ 2023
 
ભદ્રા સમય
ભદ્રા શરૂ  - 30 ઓગસ્ટ 2023 સવારે 10.58 વાગ્યે
ભદ્રા સમાપ્ત  - રાત્રે 9:01 વાગ્યે (30 ઓગસ્ટ 2023)
રાખડી બાંધવાનો શુભ મુહુર્ત  - 30 ઓગસ્ટ 2023 રાત્રે 9.01 થી 31 ઓગસ્ટ 2023 સવારે 7.05 કલાકે

રક્ષાબંધનનું મહત્વ
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ શુભ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે. બદલામાં, ભાઈ તેની બહેનને ભેટ આપે છે અને તેને કાયમ માટે રક્ષણ કરવાનું વચન આપે છે. એક દંતકથા અનુસાર, જ્યારે શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો ત્યારે તેમની આંગળીમાં ઈજા થઈ હતી. ત્યારબાદ દ્રૌપદીએ સાડી ફાડીને કૃષ્ણની આંગળી પર પટ્ટી બાંધી દીધી. કહેવાય છે કે તે દિવસે શ્રાવણ માસની પૂર્ણિમા હતી. માન્યતાઓ અનુસાર, પછીથી આ દિવસને રક્ષાબંધનના તહેવાર તરીકે ઉજવવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ચિરહરણ સમયે ભગવાન કૃષ્ણએ આ જ કપડાથી દ્રૌપદીની લાજ બચાવી હતી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments