Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં લોકડાઉનને લીધે બેકારીથી કંટાળીને આપઘાત કર્યો

rajkot suicide harass from lockdown
Webdunia
બુધવાર, 13 મે 2020 (13:20 IST)
લોકડાઉનને લીધે તમામ ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. આવી પરિસ્થિતિમાં મજૂરીકામ કરીને પેટીયું રળતા લોકો માટે તો આફતના દિવસો આવી ગયા છે. ત્યારે મૂળ લોધિકાના ચીભડા ગામનો અને રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ખોડિયાર પાર્કમા મોટાભાઈ સાથે રહી ચાંદીકામ કરી ગુજરાન ચલાવતા નીરવ બાબુભાઇ ભાડુકીયા નામના યુવાને કામધંધો બંધ હોય બેકારીથી કંટાળી ગત રાત્રે ઝેરી દવા પી લેતા હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજતા પટેલ પરિવારમાં શોક વ્યાપી ગયો છે. માલવીયાનગર પોલીસ સ્ટેશનના ASI યુ.બી. પવારે જણાવ્યું હતું કે, યુવાને બેકારીથી કંટાળી આપઘાત કર્યો છે.  થોડા દિવસ પહેલા જ રાજકોટના કુવાડવા ગામે રહેતા 95 વર્ષના વૃદ્ધે બીડી ન મળતા આપઘાત કર્યો હતો. બીડી વગર તેને કુદરતી હાજતે જવાની તકલીફ પડી રહી હતી. આથી તેઓ આખરે કંટાળ્યા હતા અને ઘરના રૂમમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. રાજકોટમાં એક યુવાનને તમાકુ ન મળતા અગ્નિસ્નાન કર્યું હતું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments