Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ પછી જ્યંતિ રવિએ એક નિવેદન આપ્યું

Covid 19
Webdunia
ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2020 (18:46 IST)
ગુજરાતમાં કોરોનાનો આંકડો 1,17,709ની પાર પહોંચી ગયો છે.  117709 માંથી 98256 સ્વસ્થ થઈ ગયા છે. દુર્ભાગ્યે, ગુજરાતમાં કોરોનાવાયરસને કારણે 3257 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 16,196 દર્દીઓ હજી પણ હોસ્પિટલમાં છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. 
 
રાજકોટથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે અહિં એક દિવસમાં કોવિડ હોસ્પિટલમાં વધુ 36 દર્દીના મોત થતા હાહાકાર મચી ગયો છે. ત્યારે અમદાવાદ અને સુરત બાદ રાજકોટની સ્થિતિ ખુબ જ ભયાનક દેખાઇ રહી છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી ગયું છે. 
 
આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કર્યા બાદ એક નિવેદન આપ્યું હતું. આ નિવેદન રાજકોટવાસીઓની ઉંઘ હરામ કરી શકે છે. જયંતિ રવિએ જણાવ્યું કે, રાજકોટ ગ્રામ્યમાં હજુ પણ કેસ વધવાની સંભાવના ખુબ જ વધારે છે. જયંતિ રવિએ ઉમેર્યું કે, હાલ રાજકોટમાં 900 બેડ ઉપલબ્ધ છે. રાજકોટમાં 3 રાઉન્ડ સરવે પૂર્ણ કરાયો છે. જેમાં આ ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. 
 
રાજકોટ કોવિડ હોસ્પિટલમાં આજે પણ વધુ 33 લોકોના મોત થયા છે. રાજકોટ શહેરના 29, ગ્રામ્યના 2 દર્દી અને અન્ય જિલ્લાના 2 દર્દીના મોત થઈને 33 લોકો કોરોના સામે પોતાની જિંદગી હારી ગયા છે. રાજકોટમાં બપોર સુધી નવા 43 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી 3320 દર્દીઓ સ્વસ્થ્ય થઈને પોતાના ઘરે પહોંચી પણ ગયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

ડુંગળી વગર આ નવી સ્ટાઈલમાં સ્ટફ્ડ કારેલા બનાવો, તેનો સ્વાદ એટલો સરસ આવશે કે બધાને ગમશે

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments