Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન બોલાવવામાં આવશેઃ પી.ટી. જાડેજા

Webdunia
સોમવાર, 1 એપ્રિલ 2024 (16:21 IST)
રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે. આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વસતા ક્ષત્રિય સમાજના વિરોધ સાથે આંદોલનના સૂર જોવા મળી રહ્યા છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે મોદી સાહેબનો ટાર્ગેટ 400 સીટનો છે, પણ હું એમ કહેવા માગું છું કે ભારતમાં અમે 22 કરોડ ક્ષત્રિયો છીએ. અમે 400 નહીં, 440 સીટ અપાવીશું. રામના નામે પાણો તરે એમ ભાજપના નામે પાણો ચૂંટાઈ શકે છે, પણ રૂપાલાને હટાવો. આગામી 6 અથવા 7 એપ્રિલના રોજ રાજકોટમાં મહાસંમેલન બોલાવવામાં આવશે, જેમાં 5 લાખ લોકો ભેગા કરીશું.

રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એ એક જ માગ છે. છેલ્લા બે દિવસથી મને મારી નાખવાની ધમકીના ફોન પણ આવી રહ્યા છે છતાં હું ડરવાનો નથી અને સમાજની સાથે ઊભો રહેવાનો જ છું. પી.ટી. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે આજે રામના નામના પાણા તરે એ રીતે ભાજપના નામે પાણો પણ ચૂંટાઈ શકે છે. અમારી માગ એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાને હટાવવામાં આવે. રાજકોટ નહીં, પરંતુ એકપણ જગ્યાએથી ટિકિટ આપવામાં ન આવે. અમારો વિરોધ રૂપાલા સાહેબ સામે છે, અમારા સમાજની કોઈ ટિકિટની માગ નથી. ગુજરાતમાં લોકસભામાં ક્ષત્રિય સમાજને એકપણ ટિકિટ આપવામાં આવતી નથી. આ વર્ષે ચૂંટણી હોવાના કારણે 6 મહિના પહેલા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહને બનાવવામાં આવ્યા છે.પી.ટી.જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે અમારી મુખ્ય 90 સમાજના પ્રતિનિધિ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે બેઠક મળી હતી, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. હવે આગામી સમયમાં 6 અથવા 7 તારીખના રોજ મહાસંમેલન બોલાવવામાં આવશે, જેમાં 5 લાખ લોકો ઉપસ્થિત રહેશે. આ સમાજનું મોટું સંમેલન હશે, અમારા ક્ષત્રિય સમાજની ગુજરાતમાં 50 લાખ વસતિ છે અને દેશમાં 20 કરોડ વસતિ છે. માટે અમારી મોદી સાહેબને વિનંતી છે કે અમે ક્ષત્રિય સમાજ હંમેશાં તમારી સાથે રહ્યો છે અને રહીશું, પણ આ અમારા બધાનું અપમાન છે, અમારી એક જ વિનંતી છે કે અન્ય કોઈપણને ટિકિટ આપો, અમારો કોઈ સમાજ સાથે વિરોધ નથી, વિરોધ માત્ર પુરુષોત્તમ રૂપાલા સાથે છે.

સંબંધિત સમાચાર

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments